khissu

ration card: સરકારી દુકાનોમાં રાશન લેવાના નિયમોમાં થયા મોટા ફેરફાર, જાણી લો નવા ફેરફાર

રેશનકાર્ડના લાભાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રેશનકાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

વિભાગે સરકારી રાશનની દુકાનોમાંથી રાશન લેતા લાયક લોકો માટે નક્કી કરેલા ધોરણોમાં ફેરફાર કરી રહ્યો છે. નવા ધોરણનો ડ્રાફ્ટ હવે લગભગ તૈયાર છે. આ અંગે રાજ્ય સરકારો સાથે અનેક રાઉન્ડની બેઠકો પણ યોજાઈ છે.

શ્રીમંત લોકો પણ લાભ લઈ રહ્યા છે: ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, હાલ દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) નો લાભ લઈ રહ્યા છે. તેમની વચ્ચે એવા ઘણા લોકો છે જે આર્થિક રીતે સમૃદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને, જાહેર વિતરણ મંત્રાલય ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવે નવું ધોરણ સંપૂર્ણપણે પારદર્શી બનાવવામાં આવશે જેથી કોઈ ગડબડ ન થાય.

ફેરફારો કેમ થઈ રહ્યા છે: આ સંદર્ભે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી ધોરણોમાં ફેરફારને લઈને રાજ્યો સાથે બેઠક યોજાઈ રહી છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ કરીને, લાભાર્થીઓ માટે નવા ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ ધોરણોને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. નવા ધોરણના અમલ પછી, ફક્ત લાયક વ્યક્તિઓને જ લાભ મળશે, અયોગ્ય લોકો લાભ મેળવી શકશે નહીં.  આ ફેરફાર જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.