khissu

ખેડૂતો પર સૌથી મોટો માર: DAP/NPK ખાતર ના ભાવમાં તોતિંગ વધારો, જાણો કેટલા ભાવ વધ્યા?

ખાતર બાબતે જે મેસેજ અને વિડિયો વાયરલ થયાં પછી જે સાચી માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી તે નીચે જોડવામાં આવી છે. 

હાલ રાજ્યમાં કોરોનાની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે, જ્યારે બીજી બાજુ મોંઘવારી નો માર પણ મધ્યમ વર્ગના લોકો પર લાગ્યો છે. જેમાં હવે ખેડૂતો પણ બાકાત નથી રહ્યાં. કેમ કે ખાતર બનાવતી ઇફકો કંપનીએ નવી નોટિસ બહાર પાડી છે. જે મુજબ ખાતર નાં ભાવો મા ફરી વધારો કરવામાં આવ્યો છે.

IFFCO કંપની એ DAP ખાતરમાં રૂ.700 અને ASP માં રૂ. 375 નો તોતિંગ વધારો કર્યો છે. DAP (૫૦ KG ની બેગ) ખાતરના ભાવ 1200ની જગ્યાએ 1900 કર્યા છે. જયારે NPK 12:32:16 માં 1185 ની જગ્યાએ 1800 કર્યા છે. NPK 12:32:26 માં 1175 ની જગ્યાએ 1775 કરવામાં આવ્યા છે. ASPમાં 975ની જગ્યાએ 1350 થયા છે. બહાર પાડવામાં આવેલ OFFICIAL માહિતીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. હવે DAP ખાતર ની બેગ 1900 રૂપિયે મળશે જે પહેલા 1200 રૂપિયે મળતી હતી. જયારે NP-20-20-0-13  બેગ 1350 મળશે.  Np-15-15-15 ની બેગ 1500 માં મળશે. આ ઉપરાંત સાથે જણાવ્યું હતું કે DAP/NPK ખાતર ની જૂની બેગ નો સ્ટોક જૂના ભાવે વેચાણ કરવામાં આવશે.

IFFCO કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ official માહિતી નીચે document ફાઈલમા જોઈન્ટ કરેલ છે.

ખાતર કંપનીએ 9 તારીખે આપેલ સાચી માહિતી: 

ખાતરની થેલી માં ભાવ વધારો આ વાત ખોટી છે.

ઇફ્કો એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમને ખાતરના ભાવમાં વધારો કરવા માટે કોઈપણ રાજકીય પક્ષ અથવા સરકાર સાથે જોડાવાની વાત કરતા સમાચાર ઉપર સખત વાંધો છે. ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો થયો છે આ વાત ખોટી છે. કંપની દ્વારા કાચા માલ ની આંતરરાષ્ટ્રીય કિંમતો અને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ઇફકો નું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા માલની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

જૂની ખાતરની થેલી જૂના ભાવમાં જ મળશે :

ઇફકો નું એવું કહેવું છે કે નવી થેલીઓ પર કિંમત પ્રિન્ટ કરવી એ જરૂરી છે. અને થેલીઓ પર જે ભાવ વાળા ફોટા વાઇરલ થઈ રહ્યા છે તે કામચલાઉ છે.વધુમાં ઇફકો કંપનીએ જણાવ્યું હતું કે માર્કેટિંગ ટીમને પણ જુના ભાવે ખાતર વેચવા નિર્દેશ કર્યો છે. અમે હંમેશા ખેડૂતોના દ્રષ્ટિકોણ થી જ નિર્ણય લઈએ છીએ.

ઇફકોના મેનેજર ડાયરેક્ટર એ શું કીધું ? 

ઇફકોના સીઈઓ અને મેનેજર ડાયરેક્ટર એ ટ્વીટ કરી ની જણાવ્યું હતું કે 11.26 લાખ મેટ્રિક ટન ખાતરનો થેલીઓ જૂના ભાવમાં જ વેંચાશ. તેને કહ્યું હતું કે 50 કિલોની થેલી એનપિકે (NPK) 1185 અને એનપીએસ (NPS) ની થેલી 925 રૂપિયામાં જ ખેડૂતોને મળશે.

ક્યાંથી આવી ભાવમાં વધારાની વાત.

ઇફકોના માર્કેટિંગ સર્વિસ ડિપાર્ટમેન્ટ એ 7 એપ્રિલ ના રોજ એક નોટિસ બહાર પાડી હતી. જેમાં ડીએપી અને અન્ય ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને લખ્યું હતું કે આ ભાવ 1 એપ્રિલથી લાગુ પડશે. જેમાં માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારના હસ્તાક્ષર પણ છે.

આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો. 

View Document