khissu

આજે મુખ્ય મંત્રીની મોટી જાહેરાત:હવે 8 નહીં 13 મનપા હશે, જાણો શું નિર્ણય

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં પાંચ નવી નગરપાલિકને અપડેટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી નો સમાવેશ થાય છે. અત્યાર સુધી 8 મનપા હતી હવે 13 થશે.

રાજ્યમાં અત્યાર સુધી સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર એમ 8 મહાનગર પાલિકા હતી. હવે 5 નવી ઉમેરાતાં 13 થશે.

હવે ટોટલ ૧૩ નગરપાલિકા:- સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી