Top Stories
khissu

આજે દિવાળીના દિવસે ચોક્કસથી આ કામ કરી નાખો, દેવી લક્ષ્મી દોડતા આવશે અને તિજોરી ભરી જશે

Diwali Totke: આ વખતે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે આજે ઉજવવામાં આવશે. તેને હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો 14 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામની અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરે છે. આ દિવસે લોકો પોતાના ઘરને દીવા પ્રગટાવીને પ્રકાશિત કરે છે. આ સાથે ઘણી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેમની પૂજાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, તો ચાલો જાણીએ તે કઈ વસ્તુઓ છે જેને કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

બેંકમાં સરકારી નોકરીની મોટી તક, 90000 રૂપિયા મળશે મહિનાનો પગાર, જલ્દી અરજી કરી દો

દિવાળીના સવારે આ કામ કરો

દિવાળીના દિવસે સવારે ઉઠતાની સાથે જ ઘરની સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે અને ધનની કમી ક્યારેય નથી આવતી. દિવાળી પર તુલસીના છોડની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. દિવાળીના દિવસે તુલસીની પૂજા અને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનનો ભંડાર ભરે છે. આ સિવાય દિવાળી પર તુલસીની સામે ઘીનો દીવો કરવો પણ શુભ છે.

ખાસ જરૂરી વાત: ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવો, નહીં તો થશે આ 5 મોટી સમસ્યાઓ

દિવાળીના દિવસે સવારે ઉઠતાની સાથે જ સ્નાન વગેરે કરીને તુલસીના છોડને જળ અર્પિત કરો અને થોડું પાણી બચાવો. બાકીનું પાણી આખા ઘરમાં છાંટવું. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સકારાત્મકતા આવે છે.

દિવાળીના દિવસે ઘરની સફાઈ કર્યા પછી ઘરના આંગણામાં રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તે એવા ઘરમાં જલ્દી પ્રવેશ કરે છે જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી.