khissu

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ આપ્યા ગોળ ગોળ જવાબ, જાણો શું જવાબ આપ્યો.

ગુજરાતમાં શાળાઓ ખોલવાની રાહ જોતા વાલીઓ માટે જણાવી દઈએ કે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સાથે વાતચીત કરતા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા છે.


ઘણા સમય થી શાળાઓ ખોલવાને લઈને ચર્ચા ચાલી રહી છે એવામાં વાલીઓ ચિંતામાં મુકાયા છે કે ક્યારે શાળાઓ ખુલે અને તેનું બાળક તેની કારકિર્દી બનાવવા કદમ રાખે. પરંતુ વારંવાર આ પ્રશ્ન ને લઈને શિક્ષણમંત્રી ગોળ ગોળ જવાબ આપે છે.


શાળાઓ ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જવાબ આપ્યો છે કે "શાળાઓ ખોલવાની જ છે. હાઈપર કમિટીના નિર્ણય બાદ શાળાઓ ખૂલશે."


શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના જવાબ પરથી જણાય છે કે તેને પણ હજી કાંઈ ખબર નથી. શાળાઓ તો ખુલશે જ એ તો અમને પણ ખબર છે ક્યારે ખૂલશે તે અંગે તેઓની પાસે કોઈ જવાબ નથી.