khissu

ગુજરાતી હાસ્યકાર મુનવ્વર ફારુકી એ હિન્દૂ દૈવી દેવતા પર અભદ્ર ટિપ્પણી કરી, લોકોએ તેને ઢોર માર માર્યો

લોકો કલાકારો ના ડાયરા વગેરે સાંભળે છે. કલાકારોને સાંભળીને જોરદાર આનંદ માણતા હોય છે. આ કલાકારો ક્યારેક ન બોલવાનું બોલી બેસે છે અને તેનો તેને ઘણું જ નુકશાન ભોગવવું પડે છે. એવું જ એક ગુજરાતી હાસ્ય કલાકાર મુનવ્વર ફારુકી સાથે બન્યું. 


વાત એમ છે કે , ગુજરાતી હાસ્ય કલાકાર મુનવ્વર ફારુકી એ હિન્દૂ દેવી દેવતા, અમિતશાહ અને ગોધરાકાંડ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી જેથી ત્યાં ઉપસ્થિત લોકોએ તેને ઢોર માર માર્યો અને પોલીસ ફરિયાદ કરી જેલ ભેગો કર્યો.


ગુજરાતના જૂનાગઢના હાસ્ય કલાકાર મુનવ્વર ફારુકી ઇન્દોર માં એક કાર્યક્રમ માં ગયો હતો ત્યાં તેણે હિન્દૂ દેવી દેવતા, ભાજપના નેતા અમિતશાહ અને ગોધરાકાંડ ઉપર અભદ્ર ટિપ્પણી કરતા ત્યાં ઉપસ્થિત લોકોએ માર માર્યો. આ ઉપરાંત દૈવી દેવતા પર ટિપ્પણી કરનારા ચાર વ્યક્તિઓ ઉપર પણ ફરિયાદ કરી અને પાંચેય ને જેલ ભેગા કર્યા અને ૧૩ જાન્યુઆરી સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.