khissu

અમરેલી જિલ્લા ના લોકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી મહત્વપૂર્ણ ભેટ

ઘણા બધા ગામો એવા હોય છે કે પોતાના જિલ્લાથી ખૂબ દૂર આવેલા હોય છે અને કોઈ કામકાજ માટે જિલ્લાએ જવું પડતું હોય છે. તેથી જો આ માટે વ્યવસ્થા કરી દેવામાં આવે તો સરકારી કામકાજ માટે દૂર જિલ્લામાં ધક્કો ના ખાવો પડે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલી જિલ્લામાં આવતા ગામો માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે. અત્યારસુધી અમરેલી જિલ્લાથી દૂર આવેલા ગામોને નાનામોટા કામ માટે છેક અમરેલી આવવું પડતું હોય છે પણ હવે એ નહીં કરવું પડે.


જી હા મિત્રો, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલી જિલ્લામાં આવેલા બગસરાને એક પ્રાંત બનાવી દેવામાં આવ્યો જેથી હવે દૂર આવેલા ગામોને છેક અમરેલી ધક્કો નહીં ખાવો પડે અને બગસરા માં જઈ કામકાજ પતાવી શકે છે.


આમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બગસરાને નવો પ્રાંત બનાવી અમરેલી જિલ્લાના લોકોને એક ભેટ આપી છે. હવે દૂર આવેલા ગામોને છેક અમરેલી ધક્કો ખાવો નહીં પડે.