khissu

યાત્રીગણ કૃપયા ધ્યાન દે/ ટ્રેનમાં મુસાફરી દરમિયાન આ કામ નથી કર્યું તો ભરવા પડશે 500 રૂપિયા, જાણો રેલ્વેએ કંઈ નોટિસ બહાર પાડી?

રેલવે બોર્ડે કહ્યું છે કે રેલવે પરિસરમાં માસ્ક ન લગાવનારાઓ પર 500 રૂપિયાનો દંડ લાગતો રહેશે.  કોરોના મહામારીને રોકવા માટે જારી કરાયેલા આદેશનો સમયગાળો આગામી વર્ષ એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે.  બોર્ડના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે માસ્ક પહેર્યા વગર લોકો પર દંડ લાવવાનો નિયમ સપ્ટેમ્બર સુધી અમલમાં હતો, પરંતુ હવે તેને વધુ છ મહિના માટે લંબાવવામા આવ્યો છે.

રેલવે બોર્ડે 17 એપ્રિલના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં તમામ ઝોનને ટ્રેન સહિત રેલવે પરિસરમાં માસ્ક અથવા ચહેરો ઢાંકી રાખવા કહેવામાં આવ્યું હતું.  આદેશમાં કહેવામાં આવ્યું હતું કે માસ્ક પહેર્યા વગર પકડાયેલી વ્યક્તિને (રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે) 500 રૂપિયાનો દંડ થવો જોઈએ.  ગુરુવારે જારી કરાયેલા આદેશમાં રેલવે બોર્ડે જણાવ્યું હતું કે આ મામલાની હવે સમીક્ષા કરવામાં આવી છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આ સૂચનોની માન્યતા છ મહિના માટે 16/4/2022 સુધી અથવા આ સંદર્ભે આગળના આદેશ સુધી લંબાવવામાં આવી છે.

જો કે, પહેલેથી જારી કરેલી સૂચનાનો સમયગાળો 16 ઓક્ટોબરે સમાપ્ત થવાનો હતો. પરંતુ તે પહેલા જ, રેલવેએ આગામી 6 મહિના માટે રેલવે પરિસર અને ટ્રેનોમાં માસ્કની જરૂરિયાત અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જે સતર્કતા દર્શાવે છે. રેલવેનું કહેવું છે કે દેશમાં હજુ પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

આ વખતે સૂચનામાં થૂંકવું કે ગંદકી ફેલાવવાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ જે કાયદા હેઠળ માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે, થૂંકવું અને ગંદકી ફેલાવવી પણ 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.