khissu

12 પાસ હશે તો પણ ચાલશે અને 10 પાસ હશે તો પણ ચાલશે, રેલ્વે માં આવી ગઈ વગર પરીક્ષાએ ભરતી

ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે શાનદાર તક છે. રેવલે ભરતી સેલે (RRC) સ્કાઉટ અને ગાઇડ કોટાની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યા સંબંધિત લાયકાત ધરાવે છે, તે આરઆરસીની સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને અરજી કરી શકે છે. રેલવેની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

રેલવેની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તે, 28 ઓગસ્ટ કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા 12 જગ્યાઓ પર નિમણુક કરવામાં આવશે. જો તમે પણ રેલવેમાં કામ કરવાની ઇચ્છા ધરાવો છો, તો નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચી લો.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

રેલવેમાં ભરતી માટે કોણ કરી શકે છે અરજી
લેવલ 2 - ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કે સંસ્થામાંથી કોઈપણ વિષયમાં 50 ટકા માર્કસ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ. સાથે જ ITIનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
લેવલ 1 - ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક પાસ હોવા જોઈએ અને સાથે જ એનસીવીટી દ્વારા માન્ય આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ

રેલવમાં નોકરી મેળવવાની વય મર્યાદા
રેલવેની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યાં છે, તેની વય મર્યાદા નીચે પ્રમાણે હોવી જોઈએ.

લેવલ 1 - ઉમેદવારોની લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ હોવી જોઈએ.
લવેલ 2 - લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હોવી જોઈએ.