khissu

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ ને થયો એક યુવતી સાથે પ્રેમ, ભગવો છોડી યુવતી સાથે નાસી છૂટ્યા

ગાંધીનગરના કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને એક યુવતી સાથે પ્રેમ થઈ જતા તે હાલ મંદિરમાંથી ગાયબ થઈ ગયા છે. પોતાનું જીવન ભગવાન ને સમર્પિત કર્યા બાદ ફરી પાછા સંસારમાં મોહ લાગી ગયો.


હાલ આ બાબત ખૂબ જ ચર્ચામાં છે લગભગ ૧૫ દિવસથી આ સાધુ ગાયબ છે. ૩૫ વર્ષની વયના આ સાધુને એક યુવતી સાથે પ્રેમ થઈ જતા હાલ તે નાસી છૂટ્યા છે.


થોડા સમય પહેલા પણ આ સાધુના પ્રેમ સંબધો ની વાત ઉડી રહી હતી ત્યારબાદ સંસ્થાની બદનામી ના થાય તેથી સંચાલકોએ તેને શિસ્તરીતે આચરણ કરવાની સલાહ આપી. પરંતુ તે પછી પણ તેનો મોહ ના ઉતાર્યો હોવાથી તે યુવતી સાથે કેનેડા જતાં રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.


સૂત્રોના જણાવ્યા મુજબ ૩૫ વર્ષના આ સાધુ જ્યારે મંદિર છોડી જઈ રહ્યા હતા ત્યારે તેણે મોટા સાધુને કહ્યું હતું કે, 'હવે હું સંસારમાં જાઉં છું'. પરંતુ આ અંગે મંદિરના સંચાલકો કંઈજ બોલવા તૈયાર નથી. ૧૫ દિવસ થઈ ગયા હોવા છતાં આ અંગે પોલીસને જાણ પણ કરવામાં આવી નથી.