khissu

SBI એ પૈસા ઉપાડવા માટેના નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો શું છે આ નિયમ

આજકાલ બેંકોમાં ફ્રોડ અને છેતરપિંડી વધી રહ્યા છે જેથી બેંક ગ્રાહકોની સુરક્ષા જોખમાય છે. તેથી જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને છેતરપિંડીથી સુરક્ષિત કરવાં ATMમાંથી પૈસા ઉપાડવાને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. બેંકે ફરી એકવાર પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જો SBI ખાતાધારકો આ નિયમનું પાલન કરશે તો જ તેઓ ATMમાંથી પૈસા ઉપાડી શકશે.

આ નવો નિયમ કંઇક એવો છે કે, જો તમે SBI ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુની રોકડ ઉપાડો છો, તો તમારે હવે OTPની જરૂર પડશે. SBIએ ATM મારફત થતાં ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટે આ પગલું ભર્યું છે. આ નવા નિયમ મુજબ ગ્રાહકો OTP વગર રોકડ ઉપાડી શકશે નહીં.

SBI બેંક દ્વારા એક ટ્વીટ કરી એવી જાણકારી આપવામાં આવી છે કે, ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુની રોકડ ઉપાડવા માટે OTPની મદદ લેવી પડશે. આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવશે. તે પછી તમારે તેનો ઉપયોગ કરવો પડશે.

ATMમાંથી પૈસા ઉપાડવા 
- SBI ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે OTPની જરૂર પડશે.
- આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે.
- જે ગ્રાહકને ટ્રાન્ઝેક્શન માટે મળે છે આ OTP ચાર અંકોનો હશે
- તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કર્યા બાદ તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે.
- બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે જેને દાખલ કરી તમે રોકડ ઉપાડી શકશો.
તમને જણાવી દઈએ કે, બેંકે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આ પગલું ભર્યું છે. બેંકને સતત છેતરપિંડીની ફરિયાદો મળી રહી છે. SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATMનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.