khissu

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવું હોય તો હવે આ ટ્રેન માં જજો, આજે PM દ્વારા લોકાર્પણ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીંથી દેશના ૬ રાજ્યોને રેલવે દ્વારા જોડવામાં આવશે. આ માટે કુલ ૮ ટ્રેન શરૂ કરવામાં આવશે.


આજે રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ડિજિટલ માધ્યમ દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેવડિયા રેલવે સ્ટેશન ઉપસ્થિત રહ્યા હતા.


કેવડિયા ખાતેથી ૬ રાજ્યોને જોડવામાં આવશે જેમાં ૮ ટ્રેન શરૂ કરવામાં આવશે. અમદાવાદ, દિલ્હી, ચેન્નાઇ, વારાણસી, દાદર, રેવા, પ્રતાપનગર વગેરે શહેરોને જોડવામાં આવશે. કેવડિયા ગ્રીન બિલ્ડીંગ સિર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.


આ આઠ શહેરોમા શરૂ થનારી આઠ ટ્રેનો નું નામ નીચે મુજબ છે.


૧) કેવડિયા થી વારાણસી - મહામના એક્સપ્રેસ

૨) અમદાવાદ થી કેવડિયા - જનશતાબ્દી એક્સપ્રેસ

૩) દાદર થી કેવડિયા - દાદર-કેવડિયા એક્સપ્રેસ

૪) કેવડિયા થી હજરત નિઝામુદ્દીન - નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ

૫) કેવડીયાથી રિવા - કેવડિયા-રિવા એક્સપ્રેસ

૬) ચેન્નાઇ થી કેવડિયા - ચેન્નાઇ-કેવડિયા એક્સપ્રેસ

૭) પ્રતાપનગર થી કેવડિયા - મેમૂ ટ્રેન (દૈનિક)

૮) કેવડિયા થી પ્રતાપનગર - મેમૂ ટ્રેન (દૈનિક)