સરકાર મહિલાઓને આપી રહી છે વગર વ્યાજે 5 લાખની લોન, લોન લેવી હોય તો જાણી લેજો

સરકાર મહિલાઓને આપી રહી છે વગર વ્યાજે 5 લાખની લોન, લોન લેવી હોય તો જાણી લેજો

સરકાર દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ જ કારણ છે કે, સરકાર મહિલાઓ માટે અલગથી યોજનાઓ લાવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉદ્યોગોના ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકારનું માનવું છે કે, તેમને ઉદ્યોગ ઉભા કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવવી જોઈએ.

 

વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન- આ યોજનાના માધ્યમથી સરકાર મહિલાઓને વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ માટે મહિલાઓને કેટલીક શરતો પૂર્ણ કરવી પડે છે, ચાલો તમને જણાવીએ. મહિલા સશક્તિકરણની દિશામાં લખપતિ દીદી યોજના સરકારનો એક મોટો પ્રયાસ છે. આ સ્કીમ સ્વયં સહાયતા જૂથો (self help groups) સાથે જોડાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવી છે. આ સ્કીમ દ્વારા મહિલાઓને તેમની આવક વધારવામાં મદદ મળે છે. સાથે જ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મહિલાઓને તાલીમ આપવામાં આવશે અને પછી પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે બિન વ્યાજના 1 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ સરકારનું લક્ષ્ય 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડવાનું

 

શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા- લખપતિ દીદી સ્કીમમાં અરજી કરવા માટે મહિલાઓ માટે કેટલીક એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવી છે જેને તેમને પૂર્ણ કરવી પડશે. આ સ્કીમમાં સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે, જો કોઈ મહિલા આ યોજનાના અંતર્ગત અરજી કરે છે તો તેના પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. જો એવું થાય તો એવી મહિલાઓને આ સ્કીમનો લાભ નહીં મળી શકે. સાથે જ આ સ્કીમ હેઠળ માત્ર તે જ મહિલાઓ અરજી કરી શકે છે જેમના પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે. ત્રણ લાખ રૂપિયા થી વધુ વાર્ષિક આવક ધરાવતી મહિલાઓ આ યોજનાના માટે પાત્ર નહીં હોય.

 

સ્કીમ માટે કેવી રીતે અરજી કરવી- લખપતિ દીદી યોજના માટે અરજી કરવા માટે મહિલાઓને સ્વયં સહાયતા જૂથ હેઠળ બિઝનેસ પ્લાન બતાવવો પડશે. તેમનો બિઝનેસ પ્લાન તૈયાર થયા પછી સ્વયં સહાયતા જૂથ દ્વારા તે યોજના સરકારને મોકલવામાં આવશે. સરકારી અધિકારીઓ અરજીની સમીક્ષા કરશે. ત્યારબાદ જો અરજી સ્વીકારવામાં આવે છે તો યોજનાનો લાભ આપવામાં આવશે અને તેના હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો લોન પણ આપવામાં આવશે