khissu

PM કિસાન હેઠળ હવે ખેડૂતો મેળવી શકશે એક્સટ્રા 3,000 રૂપિયાનો લાભ, જાણી લો તમારા ફાયદાની વાત

સરકાર પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને વધુ એક મોટો લાભ આપી રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા સાથે, હવે દર મહિને 3,000 રૂપિયા મળશે. આમાં તમારે અલગથી કોઈ ખાસ દસ્તાવેજ પણ આપવા પડશે નહીં. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા.

માન ધન યોજનાનો લાભ કેવી રીતે લેવો?
જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તેના નિયમો અને શરતો અવશ્ય જાણી લો. વાસ્તવમાં, પીએમ કિસાન માન ધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે.

પીએમ કિસાન માન ધન યોજનાનો લાભ લેવા માટે કેટલાક દસ્તાવેજો જેવા કે- આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો વગેરેની જરૂર પડશે. જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. 18 વર્ષથી 40 વર્ષ સુધીના ખેડૂતો આમાં રોકાણ કરી શકે છે. આમાં, રોકાણની રકમ વય અનુસાર નક્કી કરવામાં આવી છે.

યોજનાનો લાભ કોને મળશે?
1. આ માટે ખેતીલાયક જમીન વધુમાં વધુ 2 હેક્ટર સુધીની હોવી જોઈએ.
3. આમાં, ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના ખેડૂતોએ તેની ઉંમરના આધારે માસિક રૂ. 55 થી રૂ. 200નું રોકાણ કરવું પડશે.
4. 18 વર્ષની ઉંમરે જોડાનાર ખેડૂતોએ 55 રૂપિયાનું માસિક યોગદાન ચૂકવવું પડશે.
5. જો ખેડૂતની ઉંમર 30 વર્ષ છે, તો તેણે 110 રૂપિયા જમા કરાવવા પડશે.
6. જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.