ગરમીથી રાહત માટે સૌથી સારુ શું એસી કે કૂલર ? જાણો બંનેની સ્વાસ્થ્ય પર કેવી થાય છે અસર

ગરમીથી રાહત માટે સૌથી સારુ શું એસી કે કૂલર ? જાણો બંનેની સ્વાસ્થ્ય પર કેવી થાય છે અસર

ગરમીમાં એસી અને કૂલર બંનેનો ઉપયોગ થાય છે, પણ જગ્યા અનુસાર બંનેના પોતપોતાના ફાયદા અને નુકસાન હોય છે. તેઓ જણાવે છે કે, દરિયા કિનારાવાળા વિસ્તારમાં જ્યાં ભેજ વધારે હોય છે, ત્યાં એસી વધારે અસરકારક માનવામાં આવે છે પણ ડ્રાય વિસ્તારમાં કૂલર વધારે કામ કરે છે. વળી સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જોઈએ તો, એસીની તુલનામાં કૂલરને વધારે સુરક્ષિત માનવામાં આવે છે. કેમ કે તેમાં બહારની તાજી હવા રૂમમાં આવે છે.

નિષ્ણાત માને છે કે કૂલર બહારની તાજી હવાને ખેંચી પાણીની મદદથી તેને ઠંડુ કરે છે. પછી રૂમમાં મોકલે છે. આ જ કારણથી રૂમમાં હવાનો ફ્લો બની રહે છે અને ઓક્સિજનની માત્રા પણ સારી રહે છે. આ કારણથી કૂલરની હવા શરીર માટે વધારે આરામદાયક માનવામાં આવે છે. ખાસ કરીને ડ્રાય વિસ્તારમાં કૂલર સારી ઠંડક આપે છે અને હવા પણ તાજી રહે છે.

એસી રૂમની હવાને જ વારંવાર ઠંડી કરીને ફેરવે છે. રૂમને સંપૂર્ણપણે બંધ રાખવાના કારણે તાજી હવા અંદર નથી આવી શકતી. તેનાથી ઘણી વાર રૂમનો ભેજ ઓછો થઈ જાય છે. લાંબા સમય સુધી એસીમાં બેસવાથી ત્વચા ડ્રાય થવા લાગે છે. ઘણા લોકોને ગળાની ખરાશ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અથવા એલર્જી જેવી તકલીફ થઈ શકે છે. અમુક કિસ્સામાં માથાનો દુખાવો અને થાક પણ અનુભવાય છે.

ડો. મૌર્ય જણાવે છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી એસીની તેજ હવામાં બેસે છે તો શરીરનો પ્રાકૃતિક ભેજ ઓછો થવા લાગે છે. તેનાથી ચામડી ડ્રાય થઈ શકે છે અને અમુક લોકોને ખંજવાળ અને સ્કિન એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. આ ઉપરાંત અચાનક ખૂબ ઠંડા માહોલમાંથી બહારની ગરમીમાં જવાથી શરદી-ખાંસી અને ગળાની સમસ્યા પણ વધી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે એસી હોય કે કૂલર, બંનેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જરૂરી છે. કૂલરનું પાણી નિયમિત બદલવું જોઈએ અને તેને સ્વચ્છ રાખવું જોઈએ, જેથી તેમાં બેક્ટેરિયા અથવા મચ્છર ન આવે. વળી એસીનું તાપમાન બહુ ઓછું ન રાખવું જોઈએ અને વચ્ચે વચ્ચે રૂમની બારી ખોલી તાજી હવા અંદર આવવા દેવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરને ઘણા બધા અંશે ઓછી કરી શકાય છે.