શું 2020 માં ગિરનાર લીલી પરિક્રમા યોજાશે? જાણો શું છે સરકારનો નિર્ણય

દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસો દરમિયાન ગિરનારમાં લીલી પરિક્રમા નું આયોજન થતું હોય છે અને શ્રદ્ધાળુઓ ની ભીડ પણ વધારે જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ત્યાં નાં ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોઈ શ્રદ્ધાળુ ગિરનાર ની પરિક્રમા કરવા ન આવે.

સાથે જણાવ્યું હતું કે આ વર્ષે ત્યાં નાં અન્ન ક્ષેત્રો કે ઉતારા મંડળ પર સેવા નહીં મળે. દર વર્ષે 250 જેટલાં અન્ન ક્ષેત્રૌ અને ઉતારા મંડળ પર ચા-પાણી અને નાસ્તા, અને જમવાની અવિરત સેવા લોકો કરતાં હોય છે પરંતુ આ વર્ષે દરેક સેવા કાર્યક્રમો બંધ રહેશે. 

સરકારે હજી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી આ વર્ષે પરિક્રમા બાબત, પરંતુ ભાવનાથ ઉતારા મંડળ દ્વારા લોકો ને આ વર્ષે પરિક્રમા ન કરાવા આવવા અપીલ કરી છે અને અન્ય રાજ્યોમાં માંથી અન્ન ક્ષેત્રો ને પણ સેવા કરવા ન આવવા અપીલ કરી છે.