Top Stories
khissu

મહિનાના બીજા જ દિવસે RBI તરફથી 2,000 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, તમે પણ જાણી લો

Reserve Bank of India: આજે નવેમ્બરની બીજી તારીખ છે અને RBI તરફથી 2000 રૂપિયાની નોટ પર એક મોટું અપડેટ આવ્યું છે. ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી નોટો પર સેન્ટ્રલ બેંકે કહ્યું કે 2,000 રૂપિયાની 97 ટકાથી વધુ નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. આરબીઆઈએ કહ્યું કે હવે લોકો પાસે માત્ર 10,000 કરોડ રૂપિયાની નોટ જ બચી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

હવે બજારમાં 10000 કરોડ રૂપિયાની નોટો બચી છે

2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની સાથે આ નોટોને બેંકોમાં જમા કરાવવાની અને અન્ય નાની નોટો સાથે બદલવાની પણ સુવિધા હતી. રિઝર્વ બેંકે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટોનું કુલ મૂલ્ય 19 મે, 2023ના રોજ કારોબાર બંધ થવા પર રૂ. 3.56 લાખ કરોડ હતું. હવે તે 31 ઓક્ટોબર, 2023ના રોજ ઘટીને 10,000 કરોડ રૂપિયા પર આવી ગયો છે.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

97 ટકાથી વધુ નોટો પરત આવી

આરબીઆઈના જણાવ્યા અનુસાર આ રીતે 2000 રૂપિયાની કુલ નોટોમાંથી 97 ટકાથી વધુ પરત આવી છે. આ નોટો બેંકોમાં જમા કરાવવાની છેલ્લી તારીખ 7મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે આ નોટો બેંકોમાં જમા કરાવી શકાશે નહીં. પરંતુ જો તમારી પાસે બાકીની નોટો હોય, તો 2,000 રૂપિયાની નોટ રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં જમા અથવા બદલી શકાય છે.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

મીડિયામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી તારીખ પછી 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે આરબીઆઈની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.