khissu

જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન

હાલમાં આધાર કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર હવે સરકારીથી લઈને ખાનગી દરેક વસ્તુ માટે જરૂરી બની ગયું છે. હવે આધાર કાર્ડ વગર કોઈ કામ થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં, જો તમારા આધારમાં નામ, સરનામું ખોટું છે અથવા અન્ય કોઈ ભૂલ છે, તો તમારે વેરિફિકેશનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી, આ ખામીઓને વહેલી તકે દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહિંતર, તમે ઘણી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી શકો છો. ઘણી વખત લોકો આધારમાં તેમની માહિતી અપડેટ કરવા માટે પરેશાન થાય છે, પરંતુ હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બનવા જઈ રહી છે.

12 ભાષાઓમાં હેલ્પલાઇન નંબર
UDAI એ આધાર સંબંધિત દરેક સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર 1947 બહાર પાડ્યો છે. આધાર હેલ્પલાઇન 12 ભાષાઓ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂમાં ઉપલબ્ધ છે. આ નંબર આખા વર્ષ દરમિયાન IVRS મોડ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે. કૉલ સેન્ટરના પ્રતિનિધિઓ સવારે 7 થી 11 PM (સોમવારથી શનિવાર) સુધી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: લાયસન્સ-પાન-આધાર-રેશનકાર્ડ-૨૦૦૦હપ્તાને લઈને આખર મહિનાના છેલ્લા દિવસે સરકારે લીધા ૫ મોટા નિર્ણયો...

દરેક સમસ્યાનું સમાધાન મળી જશે
UIDAI દ્વારા 1947 ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે. આ નંબર ડાયલ કરીને તમે આધાર કાર્ડ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો. આ હેલ્પલાઇન નંબર તમને આધાર સેન્ટર, પછી આધાર નંબર સ્ટેટ્સ અને અન્ય આધાર સંબંધિત માહિતી મેળવવામાં પણ મદદ કરશે.

મેઈલ દ્વારા ફરિયાદ કરી શકાય છે
તમે તમારી ફરિયાદ મેઇલ દ્વારા પણ નોંધાવી શકો છો. તમારે help@uidai.gov.in પર લખીને તમારી સમસ્યા મેઇલ કરવાની રહેશે. UAEDI ના અધિકારીઓ સમયાંતરે આ મેઇલ ચેક કરે છે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.

આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર

આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ