Top Stories
khissu

ATM માંથી પૈસા ના નીકળે તો શું કરવું ? અહીં જાણો તમામ માહિતી

મિત્રો, આજકાલ નાં સમયમાં ATM આપણા જીવનનું ઍક મહત્વ પૂર્ણ હિસ્સો બની ગયું છે. મોટા ભાગના લોકો બેંકમાં જઈને કેશ ઉપાડવા માટે બેંકની લાંબી લાઈનો માં ઉભા રહેવાનું ટાળતા હોય છે. એવામાં ATM માંથી કેશ રૂપીયા ઉપાડવા એક શાનદાર ઓપ્શન બની ગયો છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં નરમાઈનો માહોલ, આજનો ઉંચો ભાવ રૂ. 1850, જાણો આજના કપાસના બજાર ભાવ

આજકાલ મોટાભાગના લોકો ATN નો ઉપયોગ કરીને ઝડપથી રોકડ ઉપાડી લે છે, પરંતુ એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે કેટલીક એવી વસ્તુઓ થાય છે જે ક્યારેક લોકોને ખૂબ જ પરેશાન કરી દે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેશમાંથી ઉપાડતી વખતે એટીએમ મશીનમાં જ કેશ ફસાઈ જાય છે.

જેના કારણે ગ્રાહકો ભારે પરેશાન થઈ જાય છે. જો તમને ATMમાંથી રોકડ ઉપાડતી વખતે આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ફસાયેલા પૈસા સરળતાથી મેળવી શકો છો.

રિઝર્વ બેંકના નિયમો અનુસાર, જો તમારી સાથે એવું બન્યું છે કે તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે પરંતુ એટીએમમાંથી કેશ ઉપડ્યા નથી, તો સૌથી પહેલા તમારી બેંકની નજીકની શાખામાં જાઓ અને સંપર્ક કરો. આ સિવાય જો તમે ઈચ્છો તો તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કરીને બેંકને આ માહિતી આપી શકો છો. આ પછી, બેંક એક અઠવાડિયામાં આ મામલે કાર્યવાહી કરીને તેની રકમ પરત કરશે.

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોન્સ્ટેબલ નહીં કાઢી શકે તમારા વાહનની ચાવી, જાણો શું કહે છે કાયદો

નોંધનિય છે કે જો ATMમાંથી પૈસા ઉપાડતી વખતે પૈસા ઉપાડવામાં ન આવ્યા હોય, તો તે ટ્રાન્ઝેક્શનની સ્લીપ ચોક્કસપણે સુરક્ષિત રાખો. આનો ઉપયોગ તમારા ATM ટ્રાન્ઝેક્શનના પુરાવા તરીકે થઈ શકે છે. આ સિવાય તમારા મોબાઈલમાં મેસેજ પણ રાખો. આ સિવાય તમે બેંક સ્ટેટમેન્ટ પણ બતાવી શકો છો.

RBI અનુસાર, જો બેંક તમામ પુરાવા આપ્યા પછી પણ 7 દિવસની અંદર તમારી રકમ પરત નહીં કરે તો 8મા દિવસથી બેંકે ગ્રાહકને દરરોજ 100 રૂપિયાનો દંડ આપવો પડશે.