Top Stories
khissu

ફટાફટ પતાવી લો બેન્ક સબંધિત કામ, 17 થી 29 સપ્ટેમ્બર વચ્ચે આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ

તમામ બેંક યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તરત જ પૂર્ણ કરો, કારણ કે 17 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બરની વચ્ચે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. તેનાથી ગ્રાહકોના બેંકોને લગતા કામ પર અસર પડી શકે છે, જો કે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે, પરંતુ ચેકબુક-પાસબુકનું કામ પ્રભાવિત થઈ શકે છે.

આરબીઆઈની યાદી અનુસાર કોચી અને તિરુવનંતપુરમમાં 22 થી 24 સપ્ટેમ્બર સુધી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસે 22મી સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે. જ્યારે 23મી સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને 24મી સપ્ટેમ્બરે રવિવાર છે. બેંકો બંધ હોવા છતાં, ગ્રાહકો ઘણા પ્રકારના કાર્યો ડિજિટલ રીતે પૂર્ણ કરી શકે છે.

આ સુવિધાઓ રહેશે શરૂ
UPI, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ પર બેંક રજાઓની કોઈ અસર નથી.
UPI દ્વારા પણ નાણાં ટ્રાન્સફર કરી શકાય છે, જ્યારે તમે રોકડ ઉપાડ માટે ATMનો ઉપયોગ કરી શકો છો.
તમે તમારું કામ નેટ બેન્કિંગ, એટીએમ, ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ કરી શકો છો.
તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો.
તમે નેટ બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો.

જાણો સપ્ટેમ્બરમાં બેંકો ક્યારે બંધ રહેશે
17 સપ્ટેમ્બર, 2023- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ.
18 સપ્ટેમ્બર, સોમવાર – વારસિદ્ધિ વિનાયક વ્રત/વિનાયક ચતુર્થી
19 સપ્ટેમ્બર, મંગળવાર- ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ)
20 સપ્ટેમ્બર, બુધવાર – ગણેશ ચતુર્થી (બીજો દિવસ)/નુખાઈ
22 સપ્ટેમ્બર, શુક્રવાર- શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ
23 સપ્ટેમ્બર, શનિવાર- મહારાજા હરિ સિંહ જીનો જન્મદિવસ
24 સપ્ટેમ્બર, 2023- રવિવારના કારણે બેંક બંધ
25 સપ્ટેમ્બર, સોમવાર – શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ
27 સપ્ટેમ્બર, બુધવાર - મિલાદ-એ-શરીફ (પયગંબર મુહમ્મદનો જન્મદિવસ)
28 સપ્ટેમ્બર, ગુરુવાર – ઈદ-એ-મિલાદ/ઈદ-એ-મિલાદુન્નબી – (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ) (બારા વફાત)
29 સપ્ટેમ્બર, શુક્રવાર - ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી ઈન્દ્રજાત્રા