khissu

PMJDY/ જન-ધન ખાતાધારકો માટે ખુશખબરી: ફ્રીમાં મળશે રૂ. 2 લાખનો લાભ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

રુપે ડેબિટ કાર્ડ (Rupay Debit Card) નો ઉપયોગ કરીને તમામ જન ધન ખાતાધારકોને બેંક દ્વારા વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. હવે તેઓ બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીના મફત આકસ્મિક વીમા કવચનો લાભ મેળવી શકશે. આ યોજનાનો લાભ તે લોકોને આપવામાં આવશે જેમની પાસે જન ધન ખાતું છે. હાલ આ યોજના દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India- SBI) અને પંજાબ નેશનલ બેંક (Punjab National Bank- PNB) માં શરૂ છે.

SBI દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી વીમાની રકમ તેમના જન ધન ખાતા ખોલવાના સમયગાળા પર નિર્ભર રહેશે. તેથી, જે ગ્રાહકોનું PMJDY (Pradhan Mantri Jan-Dhan Yojana) ખાતું 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવ્યું છે, તેમને જારી કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડ પર 1 લાખ રૂપિયા સુધીની વીમા રકમ મળશે. જ્યારે 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા રૂપે કાર્ડ્સ પર, 2 લાખ રૂપિયા સુધીનો આકસ્મિક કવર લાભ ઉપલબ્ધ થશે. 

આ પણ વાંચો: ચેક બાઉન્સ થાય તો શું કરવુ? ચેક બાઉન્સ ક્યારે થાય? જાણો ચેક બાઉન્સનાં નિયમો અને તેની સજા

આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે યોજના: નાણાકીય સેવાઓ, બેંકિંગ બચત અને થાપણ ખાતા, રેમિટન્સ, ક્રેડિટ, વીમો, આર્થિક રીતે નબળા વર્ગોને પોષણક્ષમ રીતે પેન્શન સુનિશ્ચિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરવામાં આવી હતી. આમાં, કોઈપણ વ્યક્તિ જન ધન ખાતું ઓનલાઈન ખોલી શકે છે અથવા KYC (Know Your Customer) દસ્તાવેજો આપીને બેંકની મુલાકાત લઈ શકે છે. જો તમે ઇચ્છો તો, તમે તમારા બચત ખાતાને જન ધનમાં પણ રૂપાંતરિત કરી શકો છો. જેમાં બેંક દ્વારા રૂપેય કાર્ડ આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડનો ઉપયોગ આકસ્મિક મૃત્યુ વીમો, ખરીદી સુરક્ષા કવર જેવાં વિવિધ લાભો માટે થઈ શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
જન ધન ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ હેઠળ અકસ્માત વીમાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે વપરાશકર્તાએ અકસ્માતની તારીખથી 90 દિવસની અંદર ઇન્ટ્રા અથવા ઇન્ટર બેંક બંનેમાંથી કોઈપણ એક સફળ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહાર કર્યો હોવો જોઈએ. આ શરતની પરિપૂર્ણતા પર, વીમાની રકમ માટેનો દાવો જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પર ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફીસનાં ખાતેદારો માટે ખુશીનાં સમાચાર: પોસ્ટ વિભાગે વધુ એક સુવિધા બહાર પાડી

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમમાં જીવન વીમો પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે PMSBY (Pradhan Mantri Suraksha Bima Yojana) કેન્દ્ર સરકારની એક યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.

અટલ પેન્શન યોજના: કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શનની ખાતરી આપવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.

આ પણ વાંચો: ATM કાર્ડધારકો માટે ખુશખબરી: RBI નવા નિયમો ૧લી તારીખથી લાગુ, ATM માં પૈસા નઈ હોય તો બેંકોને થશે રૂ. 10000 નો દંડ

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.