khissu

હર ઘર તિરંગાઃ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઘરે બેઠા પોસ્ટ ઓફિસમાંથી ખરીદો તિરંગો

 ભારત થોડા દિવસોમાં સ્વતંત્રતા દિવસ 2022ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ માટે તમામ શહેરોમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન પણ ચલાવી રહી છે. આ અંતર્ગત લોકોને ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓ અને લોકપ્રિય લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઈલ ફોટો બદલીને તિરંગો લગાવ્યો છે.

આ પણ વાંચો: વરસાદને લઈને રેડ તેમજ ઓરેંજ એલર્ટ જાહેર, જાણો કયા જિલ્લામાં ?

સ્વતંત્રતા દિવસ નજીક આવતાની સાથે જ દેશવાસીઓ તિરંગાની ખરીદી કરી રહ્યા છે. જો તમે પણ 15મી ઓગસ્ટે તમારા ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માંગો છો, તો તમે તેને ઘરે બેઠા મંગાવી શકો છો અને તે પણ સસ્તા દરે. વાસ્તવમાં પોસ્ટ ઓફિસ તિરંગો તમારા ઘરે પહોંચાડી રહી છે. આ માટે તમારે માત્ર 25 રૂપિયા ખર્ચવા પડશે. 1 ઓગસ્ટ 2022થી ત્રિરંગાનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

તમે પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ www.epostoffice.gov.in પર લૉગ ઇન કરીને ધ્વજ ખરીદી શકો છો. સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગો પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે સરકારે તાજેતરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલા જ્યાં ધ્વજ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવી શકાતો હતો, હવે નવા નિયમો હેઠળ રાત્રીના સમયે પણ તિરંગો ફરકાવવાની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: બદલવો છે આધાર કાર્ડમાં રહેલો ફોટો, તો આ રીતે કરો અપડેટ, જાણો તેની સરળ પ્રોસેસ

પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રધ્વજ કેવી રીતે ખરીદવો?
સૌથી પહેલા પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ epostoffice.gov.in પર જાઓ. અહીં તમને હોમ પેજ પર રાષ્ટ્રધ્વજ દેખાશે, જેને ખરીદવા માટે તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં લોગિન કર્યા પછી તમારે તમારું સરનામું, જથ્થો અને મોબાઈલ નંબર નાખવો પડશે.  આ પછી તમારે ઓર્ડર કન્ફર્મ કરવા માટે પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવી પડશે. મહેરબાની કરીને નોંધ કરો કે એકવાર તમે ઓર્ડર કરી લો, પછી તમે તેને રદ કરી શકશો નહીં.