Top Stories
khissu

FD કરાવવી હોય તો તક ચુકતા નય, બધી બેંકોમાં મળશે ઉંચું વ્યાજ, જાણો લેટેસ્ટ માહિતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઈ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન બેંકોની ઘટતી જતી થાપણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાણાપ્રધાને બેંકોને થાપણો વધારવા માટે આકર્ષક યોજનાઓ લાવવા જણાવ્યું હતું. લોન ફક્ત એવા લોકોને જ આપવી જોઈએ જેમને તેની જરૂર છે. હવે સરકારના આ વલણ બાદ તમામ બેંકો થાપણો વધારવામાં ગંભીરતાથી લાગી છે. આવનારા સમયમાં લોન મોંઘી થશે એટલું જ નહીં પરંતુ એક પછી એક ફિક્સ ડિપોઝિટ શરૂ થવાની સાથે ડિપોઝિટ પર આકર્ષક વ્યાજની જાહેરાત થવાની પણ શક્યતા છે.

લોનની ઝડપ ડિપોઝીટ કરતા વધુ છે 
આરબીઆઈના ડેટા અનુસાર, બેંકિંગ સિસ્ટમમાં લોનનો વૃદ્ધિ દર માત્ર 13.7 ટકા છે અને થાપણોનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે માત્ર 10.6 ટકા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.  તાજેતરમાં આરબીએલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ફેડરલ બેંક અને તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક સહિતની ઘણી નાની બેંકોએ વિશેષ એફડી યોજનાઓ શરૂ કરી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

બેંકો ખાસ FD સ્કીમ શરૂ કરી રહી છે 
ફેડરલ બેંકે 400 દિવસના સમયગાળા માટે 7.35 ટકાના દરે સ્પેશિયલ FD, 777 દિવસના સમયગાળા માટે 7.40 ટકા અને 50 મહિનાની વિશેષ સ્કીમ શરૂ કરી છે.  આ તમામ યોજનાઓ હેઠળ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે.  દરમિયાન, 400 દિવસ માટે 1 કરોડ રૂપિયાથી વધુની થાપણો પર 7.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.  આ સિવાય 777 દિવસ અને 50 મહિનાના સમયગાળા માટે 7.55 ટકા વ્યાજ આપવામાં આવશે.  આરબીએલ બેંકે વિજય ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે.  જેમાં 500 દિવસના સમયગાળા માટે 8.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.60 ટકા વ્યાજ મળશે.

મોટી બેંકો પણ FD પર વ્યાજ દર વધારી રહી છે 
બેંક ઓફ મહારાષ્ટ્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી છે કે તે 777 દિવસની થાપણો પર 7.25 ટકા વ્યાજ આપશે.  આ સિવાય તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક 400 દિવસના સમયગાળા માટે 7.50 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.  બંધન બેંકે 21 મહિનાના સમયગાળા માટે વિશેષ FD સ્કીમ પર 8 ટકા વ્યાજ આપવાની પણ જાહેરાત કરી છે.  આ પહેલા HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા સહિતની મોટી બેંકોએ પણ ખાસ FD સ્કીમ શરૂ કરી છે.