khissu

PM કિસાન યોજનાનો લાભ લેવા માટે અરજી કરવામાં નિયમોમાં મોટો ફેરફાર! હવે આ ડોક્યુમેન્ટ જરૂરી

પીએમ નરેન્દ્ર મોદી આગામી હપ્તો એટલે કે 13મો ડીસેમ્બર 2022 અથવા જાન્યુઆરી 2023 માં ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ જે પણ ખેડૂતોએ હજુ પણ ઈ કેવાયસી નથી કરાવ્યું તેને આ કામ કરી લેવું પડશે, નહિતર આગામી 13મો હપ્તો ખાતામાં જમા નહિ થાય.

આ પણ વાંચો: રિટાયરમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડ, જે આપશે શાનદાર વળતર

નવી અરજી માટે રેશનકાર્ડ ફરજિયાત!
જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તો આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે રેશન કાર્ડની જરૂર પડશે. જે ખેડૂતો પાસે રેશનકાર્ડ નથી તેઓને તાત્કાલિક રેશનકાર્ડ બનાવી લેવા જોઈએ. પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા જેઓ તેનો લાભ લેવા લાયક ન હતા. આ છેતરપિંડીથી બચવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડની કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. PM કિસાન સન્માન નિધિના રૂ. 2,000 નો હપ્તો પોર્ટલ પર રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ ઉપલબ્ધ થશે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે, નોંધણી દરમિયાન, ફરજિયાત રેશન કાર્ડની સાથે દસ્તાવેજોની સોફ્ટ કોપીઓ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

KYC જરૂરી છે
પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. 12મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે તેમનું KYC કરાવ્યું છે. જો તમે અત્યાર સુધી KYC નથી કર્યું તો તમારા ખાતામાં 13મા હપ્તાના પૈસા નહીં આવે. ઇ-કેવાયસી વિના તમારો 13મો હપ્તો અટકી જશે. કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવકો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

PM કિસાન યોજના શું છે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દર ચાર મહિને હપ્તા આવે છે એટલે કે વર્ષમાં ત્રણ વાર, યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના 12 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી.