Top Stories
khissu

27 નવેમ્બર પહેલા તુલસી પાસે રાખો આ વસ્તુ, ઘરમાં કોઈ દિવસ પૈસા અને અનાજની કમી નહીં થાય

Tulsi Puja: કારતક માસમાં તુલસી પૂજા અને દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને તુલસીને સમર્પિત છે. કારતક મહિનો કારતક પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે, જે આ વર્ષે 27 નવેમ્બરે આવી રહી છે. 

એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તુલસી પૂજાની સાથે જ તુલસીને નિયમિત જળ ચઢાવો અને દરરોજ દીવો કરો. તુલસીના છોડ પાસે કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી. ચાલો જાણીએ કારતક મહિનામાં તુલસીના છોડ પાસે કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

મંદિરમાં અને ઘરમાં પૂજા સમયે કેમ વગાડવામાં આવે છે ઘંટડી? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, 99 ટકા લોકોને નથી ખબર

શાલિગ્રામ

કારતક મહિનામાં તુલસી પાસે શાલિગ્રામ રાખવો શુભ માનવામાં આવે છે. દેવઉઠની એકાદશીના બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના લગ્ન શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે થયા છે. તેથી આ સમય દરમિયાન શાલિગ્રામને તુલસી પાસે રાખવાથી તેની પૂજાનું પૂર્ણ ફળ મળે છે.

મની પ્લાન્ટ

મની પ્લાન્ટને સંપત્તિ સાથે સંકળાયેલો જોવામાં આવે છે. જ્યારે તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કારતક મહિનામાં તુલસીની પાસે મની પ્લાન્ટ રાખવાથી આર્થિક લાભ થવાની સંભાવના રહે છે.

2024માં મોદી સરકાર નહીં જીતે તો શેર માર્કેટમાં તબાહી મચી જશે, એવો વિનાશ વેરાશે કે ક્યાંયથી ભેગું જ નહીં થાય!

લાલ ચુદંડી

તુલસીને દેવી માનવામાં આવે છે, તેથી કારતક મહિનામાં તુલસીના છોડ પર લાલ ચુદંડી ચઢાવવાથી તેના વિશેષ આશીર્વાદ મળે છે.

માટીનો દીવો

કારતક મહિનામાં તુલસી પાસે માટીનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે.

દિવાળી પર લોકોએ બેફામ દારૂ પીધો, 2.5 કરોડ બોટલ વેચાઈ ગઈ, વેચાણમાં સીધો 37%નો ઉછાળો, હિસાબ કેટલો થાય?

શમીનો છોડ

કારતક મહિનામાં શમીનો છોડ તુલસીના છોડ પાસે રાખવો પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આ સાથે શનિની અશુભ અસર પણ ઓછી થાય છે.

એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા

પિત્તળનું વાસણ

કારતક મહિનામાં તુલસીના છોડ પાસે પિત્તળનું વાસણ રાખવું પણ શુભ છે. આ ધાતુના વાસણને તુલસી પાસે રાખવાથી સકારાત્મકતા આવે છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.