khissu

રેશનકાર્ડ સંબંધિત આ ખાસ વાતો તમે જાણો છો? સસ્તા અનાજ સિવાય આ કામો માટે પણ છે ખૂબ ઉપયોગી

 રેશન કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે, જેના આધારે દેશના ગરીબોને સસ્તા દરે અનાજ મળે છે. દેશની જુદી જુદી રાજ્ય સરકારો રેશનકાર્ડ જારી કરે છે. રેશનકાર્ડને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. જેમ કે કેટલા પ્રકારના રેશનકાર્ડ છે. કોને કયું રેશનકાર્ડ મળે છે ? તો ચાલો જાણીએ રેશનકાર્ડ નાં ફાયદા શું છે.

ત્રણ પ્રકારના રેશનકાર્ડ છે. તેમાંથી, ગરીબી રેખાથી ઉપરના લોકોને પીળા રેશનકાર્ડ,  ગરીબી રેખા નીચે લોકોને સફેદ અને અંત્યોદય ખાદ્ય વર્ગના પરિવારોને ગુલાબી રંગના રેશન કાર્ડ આપવામાં આવે છે. જે તે રાજ્ય સરકારનો લોગો રેશનકાર્ડ પર બનાવવામાં આવતો હોય છે.

દેશના ઘણા રાજ્યોમાં રેશન દુકાનો પર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ પછી જ રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.  આ માટે, રેશનકાર્ડ ધારકોએ તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. આધારને રેશનકાર્ડ સાથે લિંક કર્યા બાદ ડુબ્લિકેટ રેશનકાર્ડ ન બનાવી શકાય.

રેશનકાર્ડના અસંખ્ય લાભો છે. ભારતમાં આર્થિક રીતે નબળા લોકો એટલે કે ગરીબો માટે રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત રેશનકાર્ડ ધારકો જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સસ્તા દરે અનાજ ખરીદી શકે છે.

રેશન કાર્ડ પણ તમારી ઓળખ માટેની મહત્વનું ડોક્યુમેન્ટ છે. રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે પણ થઈ શકે છે. તમે નવું ગેસ કનેક્શન મેળવવા, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, બેંક ખાતું ખોલવા, સિમકાર્ડ મેળવવા અને મતદાર ઓળખકાર્ડ મેળવવા જેવા અન્ય મહત્વના કામ માટે પણ તમારા રેશનકાર્ડનો ઉપયોગ કરી શકો છો.