SBIની હર ઘર લખપતિ સ્કીમ એક રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ છે. આ RD સ્કીમમાં ગ્રાહકો 3 વર્ષથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે રોકાણ કરી શકે છે. ગ્રાહકો તેમની સુવિધા અનુસાર તેને પસંદ કરી શકે છે. ટેન્યોરના હિસાબથી તમારા EA હપ્તા નક્કી થાય છે અને પરિપક્વતા પર તમને રૂ. 1,00,000 મળે છે. જો તમે 10 વર્ષનો કાર્યકાળ પસંદ કરો છો, તો સામાન્ય લોકો ફક્ત 610 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકે છે અને વરિષ્ઠ નાગરિકો 600 રૂપિયાથી શરૂઆત કરી શકે છે.
કોઈપણ ભારતીય નાગરિક આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ બન્ને રીતે રોકાણ કરવાની તક મળે છે. સગીરો એકલા (10 વર્ષથી વધુ ઉંમરના અને સ્પષ્ટ રીતે સહી કરવા સક્ષમ) અથવા તેમના માતાપિતા/કાનૂની વાલી સાથે ખાતું ખોલી શકે છે.
SBIની આ RD સ્કીમમાં 3 વર્ષથી 10 વર્ષ સુધીનો ટેન્યોર હોય છે. તમે તમારી સુવિધા મુજબ તેને પસંદ કરી શકો છો. ટેન્યોરના હિસાબથી દર મહિને RDનો હપ્તો ચૂકવવાનો રહેશે અને પાકતી મુદત પર તમને રૂ.1,00,000 મળશે.
જો કોઈ કારણોસર સતત 6 હપ્તા ચૂકી જાય, તો ખાતું સમય પહેલા બંધ કરવામાં આવશે અને બાકીની રકમ ખાતાધારકના બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં