કેન્દ્રએ ૩ લાખ ટન ડુંગળીની નિકાસ છૂટ આપી છે, એમાં ખેડૂતોએ હરખાવાની જરૂર નથી. કારણ સરકારનાં નેતાઓએ મોટા ઉપાડે જાહેરાત તો કરી દીધી, પણ એનું સત્તાવાર નોટિફીકેશન જ્યાં સુધી જારી ન કરવામાં આવે, ત્યાં સુધી બધા હવામાં ગોળીબાર જ સાબિત થતાં હોય છે.
મહુવા જેવા યાર્ડેનાં વેપારીઓ વિરોધમાં ડુંગળીની હરરાજીથી વિમુખ રહ્યાં હતા. ડુંગળીનાં એક અભ્યાસુ ખેડૂતે તો પ્રતિભાવ આપતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે લોકસભાની ચૂંટણી નજીક આવે છે, ત્યારે ૩ લાખ ટન ડુંગળીની નિકાસછૂટની લોલીપપ ખેડૂતોને પકડાવી દીધી છે.
આમેય હવે લેઇટ ખરીફ ડુંગળીનો કાર્યક્રમ પુરો થવાનો છે અને નવી રવી ડુંગળી બજારમાં આવવાને હજુ વાર છે, ત્યારે આમેય પુરવઠા ખેંચને લીધે ડુંગળીનાં ભાવ, કેન્દ્ર સરકાર કંઇ કાંકરી ચાળો ન કરે તો વધવાનાં સંજોગો છે. કદાચને એવું બનશે કે ૩૧, માર્ચનાં ડુંગળીની નિકાસબંધી ઉઠશે ત્યારે આચારસંહિતા લાગુ પડી જશે. આમ સરકાર એ સમયે ખેડૂતોને વ્હાલા થવું હશે તોય કોઇ જાહેરાતેય
નહીં કરી શકે.
ડુંગળી લાલના બજાર ભાવ (14/02/2024)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 100 | 265 |
| મહુવા | 136 | 274 |
| ભાવનગર | 100 | 268 |
| ગોંડલ | 56 | 251 |
| જેતપુર | 30 | 251 |
| વિસાવદર | 60 | 136 |
| તળાજા | 130 | 251 |
| ધોરાજી | 50 | 226 |
| અમરેલી | 120 | 220 |
| મોરબી | 100 | 300 |
| અમદાવાદ | 140 | 280 |
| દાહોદ | 120 | 300 |
| વડોદરા | 100 | 400 |
ડુંગળી સફેદના બજાર ભાવ (14/02/2024)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| ભાવનગર | 247 | 252 |
| મહુવા | 200 | 307 |
| ગોંડલ | 171 | 241 |