Top Stories
ખીસ્સા પર વધશે બોજ, ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, જાણો નવો નિયમ

ખીસ્સા પર વધશે બોજ, ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, જાણો નવો નિયમ

ATM માંથી રોકડ ઉપાડવી હવે મોંઘી બનશે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાંચ મફત વ્યવહારોની મર્યાદા ઓળંગવા માટે ચાર્જ અને ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની તૈયારીમાં છે. મંગળવારે હિન્દુ બિઝનેસલાઈનના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ATM માંથી પૈસા ઉપાડવા માટે પોતાના ખિસ્સામાંથી વધુ ખર્ચ કરવો પડશે.

ચાર્જ કેટલો વધશે?
પ્રસ્તાવિત ફી વધારો શું છે? આ અંગે ન્યૂઝ પોર્ટલે તેના અહેવાલમાં આ બાબતથી વાકેફ લોકોને ટાંકીને જણાવ્યું હતું કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પાંચ વખત મફત મર્યાદા સમાપ્ત થયા પછી મહત્તમ રોકડ વ્યવહાર ફી વર્તમાન 21 રૂપિયાના સ્તરથી વધારીને 22 રૂપિયા કરવાની ભલામણ કરી છે.

પેમેન્ટ રેગ્યુલેટર NPCI એ ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા પછી રોકડ વ્યવહારો માટે ATM ઇન્ટરચેન્જ ફી 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની ભલામણ પણ કરી છે.

કૃપા કરીને નોંધ લો કે ચોક્કસ મર્યાદા પછી બીજી બેંકના ATM માંથી ઉપાડ પર ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવે છે. એટલે કે, એટીએમ સેવાનો ઉપયોગ કરવાના બદલામાં એક બેંક દ્વારા બીજી બેંકને ચૂકવવામાં આવતી રકમ છે. એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કર્યા પછી, બિલ પર પણ તેનો ઉલ્લેખ હોય છે.

એટીએમ ચલાવવાનો ખર્ચ વધી રહ્યો છે
રિપોર્ટ અનુસાર, છેલ્લા બે વર્ષમાં વધતા ફુગાવા અને ઉધાર ખર્ચમાં 1.5-2 ટકાનો વધારો, પરિવહન પરના ઊંચા ખર્ચ, રોકડ ભરપાઈ અને પાલન ખર્ચને કારણે મેટ્રો સિવાયના સ્થળોએ ATM કામગીરીનો ખર્ચ વધ્યો છે.