Top Stories
khissu

SBIમાં પણ ખોલાવી શકાય છે ઝીરો બેલેન્સ ખાતું, કોઇ પેન્લટી નહિ લાગે, જાણો અન્ય ફાયદા શુ?

આજકાલ દરેક વ્યક્તિનું બેંક ખાતું છે. મોટાભાગની બેંકોમાં ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો તમે આમ ન કરો તો બેંકો તેના બદલે દંડ વસૂલે છે. પરંતુ SBIમાં એક એવું એકાઉન્ટ છે જેમાં ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમારી પાસેથી કોઈ દંડ વસૂલવામાં આવતો નથી. 

આ પ્રકારના ખાતાને બેંકિંગ ભાષામાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ એકાઉન્ટ (BSBDA) કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય ભાષામાં લોકો તેને ઝીરો બેલેન્સ એકાઉન્ટ કહે છે. અહીં જાણો આ ખાતાના શું ફાયદા છે.

આ છે 5 મોટા ફાયદા
- અન્ય બેંક એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ન રાખવા પર પેનલ્ટી ચૂકવવી પડે છે, પરંતુ આ એકાઉન્ટમાં તમારે કોઈપણ પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડશે નહીં. આ તેની સૌથી મોટી વિશેષતા છે.

- તમે ખાતામાં કોઈપણ મહત્તમ રકમ રાખી શકો છો. આ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

- આમાં, ખાતાધારકને બેંક પાસબુક, મૂળભૂત રૂપે એટીએમ-કમ-ડેબિટ કાર્ડ, મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા આપવામાં આવે છે. જોકે ફ્રી ચેકબુક આપવામાં આવતી નથી

ઝીરો બેલેન્સ ખાતું ખોલીને, તમે સામાન્ય બચત ખાતાની જેમ આધાર કાર્ડની મદદથી પૈસા ઉપાડી અને ટ્રાન્સફર કરી શકો છો, તેમાં UPI એપની મદદથી પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવાની સુવિધા પણ સામેલ છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

- NEFT/RTGS જેવી ઇલેક્ટ્રોનિક ચેનલો દ્વારા રોકડ વ્યવહારો પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. ઉપરાંત, જો તમે બંધ ખાતું સક્રિય કરો છો, તો તમારે તેના માટે પણ કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. જો તમે તમારું ઝીરો બેલેન્સ એકાઉન્ટ બંધ કરો છો તો તેના માટે પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

આ ખાતું કોણ ખોલાવી શકે છે
કોઈપણ વ્યક્તિ જે KYC શરતોને પૂર્ણ કરે છે તે આ ઝીરો બેલેન્સ ખાતું ખોલી શકે છે. જો તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો છે, તો તમે તેને સરળતાથી ખોલી શકો છો. ઝીરો બેલેન્સ ખાતામાં જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપવામાં આવે છે. આમાં તમામ ખાતાધારકોએ તેમના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

આ સ્થિતિ જાણવી પણ જરૂરી છે
જો તમારી પાસે તે બેંકમાં બીજું કોઈ બચત ખાતું ન હોય તો જ તમે બેંકમાં ઝીરો બેલેન્સ ખાતું ખોલાવી શકો છો. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, જો તમારી પાસે પહેલાથી જ બચત ખાતું છે અને તમે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પણ ખોલ્યું છે, તો પહેલાનું ખાતું 30 દિવસની અંદર બંધ કરવું પડશે. ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ધારકો મહિનામાં 4 વખત એટીએમ અથવા બેંક અથવા અન્ય બેંકોની શાખા ચેનલમાંથી મફતમાં પૈસા ઉપાડી શકે છે.