રાજ્યના હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ પડ્તા ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો હતો. વરસાદે આખું વર્ષ ખેડૂતોને હેરાન કર્યા છે. હવે ફરી અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. આવો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે.
26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતા છે. વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસું 10 જૂન સુધી મુંબઈમાં આગમન થશે. ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે.
રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આવનારા દિવસોમાં જો આ આગાહી સાચી પડે છે તો ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતો વાવણી કરી શકશે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે.
આ વિસ્તારમાં પડશે વરસાદ
અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એક ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવવાની શક્યાતા છે. હવે જોવાનું રહ્યું આવનારા દિવસોમાં આ આગાહી સાચી પડે છે કે કેમ