જો તમે પણ તમારા પૈસા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરો છો, તો તમારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આ નવા નિયમો જાણવા જોઈએ. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી સરકારી અને બિન-સરકારી બેંકોએ FD પરના વ્યાજદરમાં વધારો કર્યો છે.
જો તમે આ નિયમો નથી જાણતા તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
જાણો - નવા નિયમો શું છે?
જો તમે પાકતી મુદત પછી રકમનો દાવો નહીં કરો, તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે.
આ વ્યાજ બચત ખાતા પર મળેલા વ્યાજની બરાબર હશે.
હાલમાં, બેંકો સામાન્ય રીતે 5 થી 10 વર્ષની લાંબી મુદતવાળી FD પર 5% થી વધુ વ્યાજ ઓફર કરે છે.
બચત ખાતા પર વ્યાજ દર લગભગ 3 ટકાથી 4 ટકા છે.
આ નવા નિયમો તમામ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, સહકારી બેંકો, સ્થાનિક પ્રાદેશિક બેંકોમાં જમા રકમ પર લાગુ થશે.
પરંતુ હવે જો પાકતી મુદત પર પૈસા ઉપાડવામાં નહીં આવે તો તેના પર FD વ્યાજ મળશે નહીં.
તેથી વધુ સારું છે કે તમે પાકતી મુદત પછી તરત જ તમારા પૈસા ઉપાડી લો.