khissu

YOJANA / કૃષિ ઉડાન યોજના 2.0: હવે દૂનિયાના કોઈપણ ખુણે પોતાનો પાક વેંચી શકશે ભારતનો ખેડૂત...

ખેડૂતને પોતાનો પાક વેચવા માટે અહીં-તહી ભટકવું પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીકવાર પાકને યોગ્ય સમયે બજારમાં ન લઈ જવાને કારણે કાં તો પાક બગડી જાય છે અથવા તો તેની કિંમત પ્રમાણેના ભાવ મળતા નથી. આને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિ ઉડાન યોજના 2.0 નામની યોજના શરૂ કરી. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં વધુ મદદ મળશે.

આ યોજનાથી ખેડૂતને કોઈ નુકસાન નહીં થાય અને તેનો પાક પણ યોગ્ય સમયે બજારમાં પહોંચશે. આ યોજના હેઠળ પાકને સીધો બજારમાં લઈ જવા માટે નેશનલ હાઈવે, ઈન્ટરનેશનલ હાઈવે અને હવાઈ માર્ગની મદદ લેવામાં આવે છે. આ યોજનાએ કૃષિ ઉત્પાદનો માટે પરિવહનના અભાવને દૂર કર્યો છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકાય છે.

શું છે કૃષિ ઉડાન યોજના 2.0
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ભાઈઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાંથી કૃષિ ઉત્પાદનોને એક જગ્યાએથી બીજા સ્થાને પહોંચાડવા માટે એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. પ્લેનમાં અડધી સીટ પર ખેડૂતોને સબસીડી આપવામાં આવશે. જેથી ખેડૂતને વધારાના ખર્ચનો બોજ સહન ન કરવો પડે અને ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચે. આ યોજનામાં જે ખેડૂતો માછલી ઉત્પાદન, દૂધ ઉત્પાદન અને ડેરી ઉત્પાદનો, માંસ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આ યોજનાનો વધુ લાભ મેળવી શકે છે.

આ યોજનાના લાભો
- આ યોજનાથી ખેડૂતોને દૂર-દૂરના સ્થળોએ પણ તેમની ઉપજ વેચવાની તક મળશે.

- એવા સ્થળોના ખેડૂતો પણ સરળતાથી તેમની ઉપજ બજારમાં વેચી શકશે જેઓ પહાડી વિસ્તારોમાં રહે છે. જેઓ આદિવાસી છે અને તેમના ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં ન પહોંચવાના કારણે બગડી જાય છે. 

- હવાઈ ​​પરિવહન દ્વારા ઉત્પાદનો લાવવા અને લઈ જવાથી વેપાર પણ વધશે અને ખેડૂતોને સારો નફો પણ મળશે.

- AAI દ્વારા સંચાલિત આ યોજના માટે દેશના 53 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે.

- આ યોજનામાં દેશના પૂર્વોત્તર રાજ્યોને હવાઈ માર્ગે દેશના બાકીના બજારો સાથે જોડવાનો પ્રયાસ છે.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો
આધાર કાર્ડ
રેશન કાર્ડ
સરનામાનો પુરાવો
બેંક પાસ બુક
જમીન દસ્તાવેજો
આવક પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
મોબાઇલ નંબર

કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

  • સૌપ્રથમ ખેતીવાડીની અધિકૃત વેબસાઇટ agriculture. gov.in પર લોગિન કરો.
    હોમ પેજ પર જ તમને એગ્રીકલ્ચર સ્કીમનો વિકલ્પ જોવા મળશે.
  • કૃષિ ઉડાન યોજનાનું અરજીપત્રક ખુલશે.
  • ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી જેવી કે નામ, સરનામું, આધાર નંબર, મોબાઈલ નંબર અને પાક સંબંધિત માહિતી કાળજીપૂર્વક અને સાચી રીતે ભરવાની રહેશે.
  • ફોર્મ ભર્યા પછી સબમિટ કરો.
  • વે કૃષિ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે.