khissu

જો તમારી પાસે પણ છે એકથી વધુ બેંક એકાઉન્ટ તો સાવધાન, થશે મોટુ નુકશાન

વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે એકથી વધુ બેંક એકાઉન્ટ રાખવા પર તમારા ખીસ્સાને બોજ પડી શકે છે. એકથી વધુ બેંક એકાઉન્ટના કારમે તમને નાણાકીય નુકસાનની સાથે સાથે અન્ય ઘણા નુકસાન સહન કરવા પડી શકે છે.

સિંગલ એકાઉન્ટ રાખવાની ભલામણ
નોંધનિય છે કે, ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાતો પણ સિંગલ એકાઉન્ટ રાખવાની ભલામણ કરતા હોય છે કે એક જ બેંક એકાઉન્ટ રાખવાથી રિટર્ન ફાઇલ કરવાનું સરળ બને છે. તો ચાલો  આપણે જાણીએ કે એકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાથી શું શું મુશ્કેલી સર્જાઈ શકે છે.

જાણો એકથી વધુ એકાઉન્ટના ગેરફાયદા
તમને જણાવી દઈએ કે, જો તમે એકથી વધુ બેંકો ખાતા મેન્ટેન કરો છો, તો પ્રથમ ગેરલાભ તો મેઈન્ટેનન્સનો છે. વાસ્તવમાં, દરેક બેંકનો પોતાનો પોતાનો અલગ મેન્ટેનન્સ ચાર્જ, ડેબિટ કાર્ડ ચાર્જ, SMS ચાર્જ, સર્વિસ ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ હોય છે. તેથી જેટલી બેંકોમાં તમારા ખાતા હશે, તમારે તેના માટે અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડશે. આ ઉપરાંત જો મિનિમમ બેલેન્સ જાળવવામાં ન આવે તો બેંકો તેના બદલે ભારે ચાર્જ વસૂલે છે. તેથી જેટલા વધુ ખાતા તેટલો વધુ ચાર્જ.

સિંગલ બેંક એકાઉન્ટમાં રિટર્ન ફાઈલ કરવું સરળ 
આ અંગે ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે, જો તમારી પાસે એક જ બેંક ખાતું હોય તો રિટર્ન ફાઇલ કરવું સરળ રહે છે. કારણ કે તમારી કમાણીની સંપૂર્ણ માહિતી એક જ ખાતામાં ઉપલબ્ધ હોય છે. અલગ-અલગ બેંક એકાઉન્ટ રાખવાથી આ ગણતરી મુશ્કેલ અને મોટી બને છે. આવી સ્થિતિમાં ટેક્સ વિભાગ તમને નોટિસ જારી કરી શકે છે. આવી સમસ્યાઓના ઉકેલ માટે નાણામંત્રી નિર્મલા સીતારમને આ બજેટમાં નવી સિસ્ટમની જાહેરાત કરી હતી.

કરદાતાઓએ આપવુ પડશે કૈલકુલેશન
આ નવા નિયમ હેઠળ પગારની આવક સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી આવકની માહિતી જેમ કે ડિવિડન્ડની આવક, કેપિટલ ગેન ઈનકમ, બેંક ડિપોઝિટની વ્યાજની આવક, પોસ્ટ ઓફિસની વ્યાજની આવકની માહિતી અગાઉથી ભરવામાં આવશે. અત્યાર સુધી કરદાતાઓએ તેની અલગથી ગણતરી કરવી પડતી હતી. આ વાત ઘણી વખત ભૂલી જવાના કારણે તેને તકલીફ થતી હતી. હવે આ બધી માહિતી પહેલાથી ભરેલી આવશે. આ માહિતી પાન કાર્ડની મદદથી મેળવવામાં આવશે.

એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે
તમને જણાવી દઈએ કે, જો એક વર્ષ સુધી બચત ખાતા અથવા ચાલુ ખાતામાં કોઈ વ્યવહાર કરવામાં ન આવે, તો તે Inactive Bank Accountમાં ફેરવાય જશે. જો બે વર્ષ સુધી કોઈ વ્યવહાર ન થાય, તો તે Dormant Account કે Inoperative ખાતામાં ફેરવાય જશે. આવા બેંક ખાતા સાથે છેતરપિંડીની શક્યતા વધી જાય છે. બેન્કર્સનું કહેવું છે કે આ એક્ટિવ એકાઉન્ટ્સ સાથે ઈન્ટરનલ અને એક્સટર્નલ ફ્રોડની શક્યતા સૌથી વધુ છે. આવી સ્થિતિમાં તેની વિગતો અલગ ખાતાવહીમાં રાખવામાં આવે છે.

ખાનગી બેંક વધારાનો ચાર્જ વસૂલે છે
ખાનગી બેંકોના મિનિમમ બેલેન્સ ચાર્જ ખૂબ જ વધારે હોય છે. જેમ કે, HDFC બેંકનું મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારો માટે તે રૂ. 5000 છે. આ બેલેન્સ જાળવવા માટે એક ક્વાર્ટર માટે દંડ 750 રૂપિયા છે. અન્ય ખાનગી બેંકો પણ આ રીતનો ચાર્જ વસુલે છે. જો તમે ભૂલથી મિનિમમ બેલેન્સ જાળવી ન રાખો તો તમારે દર મહિને બિનજરૂરી રીતે સેંકડો રૂપિયા ચૂકવવા પડી શકે છે. આ તમારા CIBIL સ્કોરને પણ અસર કરે છે.