Official માહિતી: સરકારે જાહેર કર્યા નવાં કડડ નિયમો, બહાર નિકળતા પહેલાં જાણી લો આ માહિતી

નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં વર્તમાન પરિસ્થિતીની સમીક્ષા કરીને નીચે મુજબના ૩૬ શહેરોમાં તા. ૦૬/૦૫/૨૦૨૧ ના ૨૦.૦૦ કલાકથી તા. ૧૨/૦૫/૨૦૨૧ના ૦૬.૦૦ કલાક સુધી રાત્રી કર્ફયુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવે છે. હાલ સંપુર્ણ દેશમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે તેના કારણે ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ૨૯ શહેરોમાં રાત્રી કર્ફ્યુ તા. ૦૫/૦૫/૨૦૨૧ સુધી લગાવવામાં આવ્યુ હતુ. જે હવે નવા જાહેરનામા અનુસાર વધુ ૭ શહેરો સહિત કુલ ૩૬ શહેરોમાં તા. ૧૨/૦૨/૨૦૨૧ સુધી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે, જે તા. ૦૬/૦૫/૨૦૨૧ એટલે કે આવતી કાલથી અમલમાં આવશે.

રાત્રી કર્ફયુના શહેરોનું લીસ્ટ : ૧. અમદાવાદ શહેર ૨. વડોદરા શહેર ૩. સુરત શહેર ૪. રાજકોટ ૫. ભાવનગર શહેર ૬. જામનગર શહેર ૭. જુનાગઢ શહેર ૮. ગાંધીનગર શહેર ૯. આણંદ શહેર ૧૦. નડીયાદ શહેર ૧૧. ગાંધીધામ શહેર ૧૨. ભુજ શહેર ૧૩. મોરબી શહેર ૧૪. પાટણ શહેર ૧૫. ગોધરા શહેર ૧૬. દાહોદ શહેર ૧૭. ભરૂચ શહેર ૧૮. સુરેન્દ્રનગર શહેર ૧૯. અમરેલી શહેર ૨૦. મહેસાણા શહેર ૨૧. હિમંતનગર શહેર ૨૨. પાલનપુર શહેર ૨૩. નવસારી શહેર ૨૪. વલસાડ શહેર ૨૫. પોરબંદર શહેર ૨૬. બોટાદ શહેર ૨૭. વિરમગામ શહેર ૨૮. છોટાઉદેપુર શહેર ૨૯. વેરાવળ-સોમનાથ શહેર ૩૦. ડીસા શહેર ૩૧. અંકલેશ્વર શહેર ૩૨. રાધનપુર શહેર ૩૩. વાપી શહેર ૩૪. મોડાસા શહેર ૩૫. કડી શહેર ૩૬. વિસનગર શહેર

રાત્રિ કર્ક્સના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે. 

  • બિમાર વ્યકિત, સગર્ભાઓ, અશકત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
  • મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
  • રાત્રી કર્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.
  • આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો / અધિકારીઓ / કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્કીપશન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યકિતઓ સાથે ફરજ પરના અધિકારી / કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
  • તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નિયંત્રણો : કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતા તા. ૦૬/૦૫/૨૦૨૧ ના ૦૦,૦૦ કલાકથી તા. ૧૨/૦૫/૨૦૨૧ ના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન ઉપરોકત શહેરોમાં નીચે મુજબના નિયંત્રણો મુકવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે. 

  • આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક / વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ (Take away Service સિવાય), તમામ લારી - ગલ્લાઓ, શોપિંગ કોપ્લેકસ, અઠવાડીક ગુજરી / બજાર / હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ - બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.
  • તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMC માં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID - 19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
  • અંતિમક્રિયા / દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
  • સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ / સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા પ૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
  • તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો / મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
  • પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ / સ્પોર્ટ્સ સ્ટેડીયમ / સહકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
  • તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો / પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
  • પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા / પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે. 
     ૧) COVID - 19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
     ૨) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ 
     ૩) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા . 
     ૪) ડેરી, દૂધ - શાકભાજી, ફળ - ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા. 
     ૫) શાકભાજી માર્કેટ તથા કૂટ માર્કેટ ચાલુ રહેશે. 
     ૬) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ. 
     ૭) અનાજ તથા મસાલા દળવાની ઘંટી 
     ૮) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
     ૯) ઈન્ટરનેટ / ટેલિફોન / મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર / આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ. 
     ૧૦) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
     ૧૧) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી. / પી એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ .
     ૧૨) પોસ્ટ અને કુરીયર સર્વિસ 
     ૧૩) ખાનગી સિક્યુરીટી સેવા 
     ૧૪) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ. 
     ૧૫) કૃષિ કામગીરી, પેસ્ટકન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠો વ્યવસ્થા. 
     ૧૬) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. 
     ૧૭) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓતથા તેને સંલગ્ન ઈ - કોમર્સ સેવાઓ. 
     ૧૮) તમામ પ્રકારના ઉત્પાદન / ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન covID - 19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 
     ૧૯) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID - 19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટ કાળજી લેવાની રહેશે. 
- તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 
- સંબંધીત પોલીસ કમિશનરશ્રીઓ / જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલી માટે Cr.P.C. તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઈ હેઠળ જાહેરનામાં બહાર પાડવાના રહેશે. 
- આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર , જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે. 

આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID - 19 REGULATION , 2020 ની જોગવાઇઓ , ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામું નીચે જોડેલ છે. આપ ડાઉનલોડ કરી આ માહિતી વાચી શકશો. આ ઉપરાંત આ અંગેની વધારે માહિતી ઉપરના video માં સમજાવેલ છે. 

View Document