khissu

ડાયાબિટીસના દર્દીઓ માટે જબરદસ્ત ઉપાય, જાણો કેટલા થશે ફાયદા

ડાયાબિટીસ ના દર્દીઓ ને અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ક્યાંક લગ્ન પ્રસંગ માં ગયા હોય તો સરખું ખાઈ પણ ના શકે , ખાવામાં અનેક પ્રકારની લિમિટેશન રાખવી પડે. ચાલો તો આજે આપણે ડાયાબિટીસ થી રાહત માટે જોરદાર ઉપાય બતાવવા જઇ રહ્યાં છીએ.

લીમડાના પાન નો રસ :

ડાયાબિટીસ ના દર્દીઓ ના શરીર માં ગ્લુકોઝ ની માત્રા વધી જાય છે જે ગળ્યું પદાર્થ હોય છે તેની સામે જો કડવો પદાર્થ ખાવામાં આવે તો શરીરમાં સંતુલન જળવાઈ રહે છે આમ જો લીમડા પાન નો રસ કરી ખાલી પેટે રોજ પીવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.

લીમડાનો રસ ઠંડો હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન ખૂબ ફાયદાકારક છે અને શિયાળામાં તમે તેનું ઓછું સેવન કરી શકો છો.

તેનાથી થતા ફાયદા :

ખુબજ ખર્ચાળ દવાઓ લેવાને બદલે રોજ ખાલી પેટ લીમડાના પાનનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સાથે શરીરને વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ સામે લડવામાં પણ મદદ કરે છે.

આ સિવાય લીમડાના પાન ચાવવાથી લોહી પણ પાતળું રહે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો નો નાશ કરી દે છે. આમ ડાયાબિટીસ ના દર્દીઓ માં બ્લડ સુગર લેવલને કંટ્રોલ રાખે છે.