khissu

મકારસંક્રાતિના પવિત્ર તહેવાર પર રાશિ મુજબ કરો આ વસ્તુ નું દાન, ખુબજ સારું પરિણામ મળશે

હવે થોડા સમય પછી જ મકરસંક્રાંતિનો તહેવાર આવવાનો છે જે દિવસે એવું માનવામાં આવે છે કે સૂર્ય મકર દિશા એટલેકે ઉત્તર દિશામાંથી ઉગવાની શરૂઆત કરે છે. આ દિવસે જ ઘણા લોકો ગાય ને ઘાસ ચારાનું પુણ્યદાન કરતા હોય છે. આ ઉપરાંત ઘૂઘરી બનાવી ગાયને ખવડાવે છે.


આ દિવસે અનેક લોકો સારા કામ અર્થે અને ગરીબ લોકોને કંઈક વસ્તુનું દાન પણ કરતા હોય છે. તો જો આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો અનેક ગણું ફળ મળે છે.


મેષ - આ રાશિના લોકોએ શીંગ અને તલનું દાન કરવાથી મનોકામના પુરી થશે.


વૃષભ - આ રાશિના લોકોએ કપડાં અને તલનું દાન કરવું શુભ રહેશે.


મિથુન - આ રાશિના લોકોએ ચાદર અને છત્ર દાન કરવું જોઈએ.


કર્ક - આ રાશિના લોકોએ સાબુદાણા અને કપડાંનું દાન કરવું.


સિંહ - આ રાશિના લોકોએ ધાબળા અને ચાદર નું દાન કરવું.


કન્યા - આ રાશિના લોકોએ તેલનું દાન કરવું.


તુલા - આ રાશિના લોકોએ કપાસ, સુતરાઉ વસ્ત્રો, ચાદર નું દાન કરવું.


મકર - આ રાશિના લોકોએ ધાબળા અને પુસ્તકનું દાન કરવું.


કુંભ - આ રાશિના લોકોએ કપડાં, અનાજ અને સાબુ નું દાન કરવું.


મીન - આ રાશિના લોકોએ સુતરાઉ કાપડ અને બેડશીટ દાન કરવું.