khissu

જાણો ઈ-શ્રમ કાર્ડ શું છે, કેવી રીતે અરજી કરવી અને કાર્ડનાં ફાયદાઓ શું છે?

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક મદદ માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ભારતીય મજૂરોને તેમની કુશળતાના આધારે નોકરી મેળવવામાં મદદ મળે છે. કોઈપણ મજૂર જે આ યોજનાનો લાભ લેવા માંગે છે તેણે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.  તમારે અધિકૃત વેબસાઈટ eshram.gov.in પરથી ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. ઈ-શ્રમ કાર્ડ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે.

ઇ-શ્રમ કાર્ડ માટે કેવી રીતે નોંધણી કરવી
ઈ-શ્રમિક કાર્ડનો લાભ લેવા માટે તમારે પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર જવું પડશે.
આ માટે તમારે http://register.eshram.gov.in/#/user/self પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી સામે એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
ફોર્મમાં આધાર કાર્ડ લિંક કરેલ નંબર, કેપ્ચા કોડ ભરો.
ફોર્મ ભર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP આવશે, હવે તેને OTP બોક્સમાં ભરો.
પછી રજીસ્ટર વિકલ્પ પર ક્લિક કરો, હવે તમે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરી શકો છો.
ફોર્મ ભર્યા પછી, તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
હવે સબમિટ બટન પર ક્લિક કરીને દસ્તાવેજો સબમિટ કરો.

ઇ-શ્રમ કાર્ડ માટેની પાત્રતા
જે લોકો ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે છે તેમની ઉંમર 18 થી 59 વર્ષની હોવી જોઈએ. 
કામદાર આવકવેરો ભરતો ન હોવો જોઈએ.  
તેમજ તે EPFO, ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
શ્રમ મંત્રાલય ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવનારા મજૂરોને 12 નંબરનો UAN જારી કરે છે.

ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે?
જો અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો આ પોર્ટલ પર નોંધણી કરાવે છે, તો તેમને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. આ કાર્ડના કારણે મજૂરોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને અટલ પેન્શન યોજના સહિત ઘણી યોજનાઓનો સીધો લાભ મળે છે.