khissu

ત્રણ તબક્કામાં વાવણી, જાણો જૂનાગઢના જાણીતા આગાહીકાર રમણીકભાઇ વામજાની આગાહી

કેટલાક નામી આગાહીકારોએ આપેલ આગામી ચોમાસાનાં વરસાદનો વરતારો જાણવા ઘણાં વાંચકો ઉત્સુક હોય છે.

ખગોળ વિદ્યા, આભામંડળ, કસ-લિસોટા, તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, ઉતાસણીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત પરિમાણોને ધ્યાને લઇ છેલ્લા ત્રણ દાયકાથી આગાહીકાર તરીકે જૂનાગઢ વંથલીથી રમણિકભાઇ વામજા સૌરાષ્ટ્રનાં ખેડૂતોમાં જાણીતા છે.

તેઓ આગામી ૨૦૨૪નાં ચોમાસા અંગે વાત કરતાં કહે છે કે ચોમાસે ત્રણ તબક્કામાં વાવણી થશે, પહેલી વાવણી 
અમરેલી જિલ્લામાં થશે. પાછોતરા વરસાદ હાથિયા- ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર થશે. ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા, ગાજવીજ સાથે વીજળીપડવાનાં બનાવો છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ચોમાસા દરમિયાન ૫૦ થી ૬૫ ઇંચ વરસાદ છે. શિયાળું પાક મબલક પાકશે. જુલાઇ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં ડેમ ઓવરફ્લો થઇ જશે. જુલાઇ માસમાં વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની શક્યતા છે.

ઓંણસાલનાં ચોમાસે ભાદર અને નર્મદા ડેમ છલકાઇ જશે. ૧૬ આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારૂ છે. મગફળી, ચણા, ઘઉં અને મરચાં જેવી લાલ વસ્તુમાં તેજીનાં સંકેતો છે.