khissu

આ વર્ષ ૨૦૨૦ માં દુનિયા ને બાય કહી દીધું આ બોલીવૂડના સ્ટારો એ, જાણો કોણ કોણ છે ?

આ બધા બોલિવૂડ સ્ટારોએ ૨૦૨૦ માં દુનિયા ને અલવિદા કહી દીધું.કોઈએ આત્મહત્યા કરી, કોઈ કેન્સરને કારણે મૃત્યુ થયું તો કોઈને અન્ય બીમારીને કારણે મૃત્યુ થઈ. ચાલો જાણીએ કોનું મૃત્યુ કેવી રીતે થયું.


૧) ઋષિ કપૂર : પ્રખ્યાત બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર ને ૨૦૧૮ માં લ્યુકેમિયા કેન્સર થયું હતું જેનો ઈલાજ અમેરિકામાં પણ કરવામાં આવ્યો હતો છેવટે ૩૦ એપ્રિલ ૨૦૨૦ ના રોજ તેમનું મૃત્યું થયું.


૨) સેજલ શર્મા : આ અભિનેત્રી એ ' દિલ તો હેપ્પી હે જી' ફિલ્મમાં કામ કર્યું હતું. ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કોઈ કારણોસર આત્મહત્યા કરી લીઘી.


૩) સરોજ ખાન : સરોજ ખાન એક કોરિયોગ્રાફર હતા. ૩ જુલાઈ ૨૦૨૦ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.


૪) ઈરફાન ખાન : લોકોના ચાહિતા એવા ઈરફાન ખાનનું પણ આજ વર્ષે મૃત્યું થયું. ઈરફાન ખાનને ૨૦૧૮ માં ન્યુરોએન્ડ્રોક્રાઇન ટ્યુમર થયું હતું અને ૨૯ એપ્રિલ ૨૦૨૦ ના રોજ મૃત્યુ થયું.


૫) શુશાંત સિંહ રાજપૂત : શુશાંત સિંહ રાજપૂત ના આત્મહત્યા વિશે તો સૌ કોઈ જાણતાં જ હશે જેણે ભારતમાં જ નહીં પણ દુનિયાને પણ હચમચાવી દીધું હતું. ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ તેણે આત્મહત્યા કરી લીધી જે લોકોને હેરાન કરી દીધા.