khissu

ઘરમાં રહેલી આ ૭ મૂર્તિઓ બનાવી શકે છે માલામાલ, એટલી પ્રગતિ થશે કે વિશ્વાસ નહીં આવે!

આપણા દેશમાં આસ્થા અને ધર્મને ખુબ માન આપવામાં આવે છે, ત્યારે ઘરની સજાવટ માટે ઘણીવાર લોકો વિવિધ પ્રકારની મૂર્તિઓ રાખવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ભગવાનની મૂર્તિઓ રાખે છે તો કેટલાક લોકો પ્રાણીઓની મૂર્તિઓ પણ રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મૂર્તિઓ ઘરે રાખવાથી ક્યારેક વાસ્તુની સમસ્યા પણ આવી શકે છે. એટલે કે જો ખોટી મૂર્તિ રાખો તો તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. તો અહીં જાણી લો કે વાસ્તુ મુજબ કઈ મૂર્તિઓ ઘરે રાખવી શુભ માનવામાં આવે છે.

હાથી
વાસ્તુ અનુસાર હાથીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર ઘરે ચાંદી અથવા પિત્તળની હાથીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાંદીની હાથીની મૂર્તિને બેડરૂમમાં રાખવાથી રાહુને લગતી તમામ ખામી દૂર થઈ શકે છે. ફેંગ શુઇના જણાવ્યા અનુસાર ઘરે હાથીની તસવીર અથવા મૂર્તિ રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને સાથે સાથે સંપત્તિ-સમૃદ્ધિમાં પણ ઘણો વધારો થાય છે.

હંસ
વાસ્તુ મુજબ ઘરના ગેસ્ટ રૂમમાં હંસની જોડીની એટલે કે હંસના યુગલોની મૂર્તિ રાખવાથી પણ આર્થિક લાભ થાય છે. આ સિવાય બે બતકની જોડીની મૂર્તિ રાખવાથી લગ્ન જીવનમાં પ્રેમ બકરાર રહે છે.

કાચબો
ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં કાચબો હોય ત્યાં લક્ષ્મી દેવી આવે છે. ફેંગ શુઇ અનુસાર સકારાત્મક ઉર્જા પણ આવે છે. ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની મૂર્તિ રાખવાને શુભ માનવામાં આવે છે. ડ્રોઇંગ રૂમમાં ધાતુની કાચબાની મૂર્તિ રાખવાથી સંપત્તિમાં પણ વધારો થાય છે.

પોપટ
વાસ્તુ અનુસાર સ્ટડી રૂમમાં પોપટની તસવીર લગાવવાથી એકાગ્રતા વધે છે. ઉત્તર દિશામાં પોપટની તસવીર કુટુંબમાં સુખ-શાંતિ પણ વધારે છે. તેમજ પરણિત જીવનમાં પણ આ તસવીરના કારણે મધુરતા આવે છે. ફેંગ શુઇ અનુસાર પોપટ પૃથ્વી, અગ્નિ, પાણી, લાકડા અને ધાતુનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં પોપટની મૂર્તિ રાખવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહે છે અને સૈભાગ્યમાં પણ વધારો થાય છે.

માછલી
વાસ્તુ અને ફેંગ શુઇ બંનેના મતે માછલીને સંપત્તિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં પિત્તળ અથવા ચાંદીની માછલી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. આ સિવાય સંપત્તિમાં પણ વધારો થાય છે.

ગાય
વાસ્તુ મુજબ પિત્તળની ગાયની મૂર્તિ ઘરે રાખવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ નકારાત્મકતા દૂર થાય છે. ફેંગ શુઇના જણાવ્યા અનુસાર ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી અભ્યાસમાં પણ એકાગ્રતા વધે છે.

ઉંટ
વાસ્તુ અને ફેંગ શુઇ અનુસાર ઉંટની મૂર્તિ ઘરે રાખવી શુભ માનવામાં આવે છે. ઉંટની મૂર્તિને ડ્રોઇંગરૂમ અથવા લિવિંગ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી કારકિર્દી અને વ્યવસાયમાં પણ ઘણી સફળતા મળે છે. ઉંટની મૂર્તિ રાખવાથી એકાગ્રતા વધે છે અને તણાવ પણ દૂર થાય છે.