khissu

રાજયના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કયા ?

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગે આજે બપોરે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે ખેડૂતોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં વધારે વરસાદ થવાની શક્યતા નથી.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તી દ્વારા આગાહી કરતા આજે બપોરે જણાવાયુ છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી. છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના મેપ પરથી જોઇએ તો આવતી કાલે એટલે 23મી ઓગસ્ટના રોજ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે

ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.