khissu

એવું તો વળી શું થયું કે ૧૦ વર્ષ સુધી ત્રણેય ભાઈ-બહેનોએ પોતાને જ કેદ રાખ્યા.

આપણા દેશમાં દિવસે ને દિવસે અજીબ ઘટનાઓ સામે આવી રહી છે. લોકોને અચરજમાં મૂકી દે તેવી ઘટનાઓ આવતી રહે છે. એવામાં રાજકોટમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે જેમાં ૧૦ વર્ષો થી ત્રણ ભાઈ બહેનો એ પોતાની જાતને એક ઓરડામાં પુરી રાખ્યા હતા.


ભલા પોતાની જાતને કોણ પુરી રાખે, એવું તો શું થયું હશે તેઓની સાથે કે પોતાની જાતને પુરી રાખવા પડ્યા. ૧૦ વર્ષ કાઈ નાનો સમય ના કહેવાય, એટલામાં તો એક બાળક મોટું થઈ કારકિર્દી રચવા જઈ રહ્યું હોય. 


૧૦ વર્ષથી એક ઓરડામાં પુરાયેલા ૩ ભાઈ બહેન ને NGO ની ટીમે શોધી કાઢ્યા અને તેઓને બહાર કાઢયા છે. NGO ની આ પહેલને સફળતા મળી છે.


NGO એ તપાસ કરતા જાણવાં મળ્યું છે કે આ ત્રણેય ભાઈ બહેનો ની માનસિક સ્થિતિ ખરાબ છે અને તેથી તેઓએ પોતાની જાતને અંદર પુરી રાખ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે તેઓએ LLB, B. COM અને સાયકોલોજી નો અભ્યાસ કર્યો છે.