સરકારના નિયમ મુજબ આ યોજનાઓમાં દર વર્ષે ન્યૂનતમ રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. જો આ નાણાકીય વર્ષમાં તમે પૈસા જમા ન કરાવ્યા હોય, તો 31 માર્ચ 2026 પહેલાં આ કામ જરૂર પૂર્ણ કરો. નહીંતર તમારું ખાતું Inactive અથવા Freeze થઈ શકે છે. પછી તેને ફરીથી ચાલુ કરવા માટે તમને દંડ (Penalty) પણ ચૂકવવો પડી શકે
PPF ખાતામાં કેટલું જમા કરવું જરૂરી?
દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું ₹500 જમા કરવું ફરજિયાત છે.
જો કોઈ વર્ષે આ રકમ જમા ન થાય, તો ખાતું Inactive થઈ જાય છે.
ખાતું નિષ્ક્રિય થઈ જાય તો કેટલીક સુવિધાઓ મળતી નથી, જેમ કે:
લોન લેવાની સુવિધા
આંશિક રકમ ઉપાડવાની સુવિધા
જો ખાતું ફરીથી ચાલુ કરવું હોય તો:
દરેક બાકી વર્ષ માટે ₹500 જમા કરવું પડશે
સાથે ₹50 દંડ પણ ચૂકવવો પડશે
Sukanya Samriddhi Yojana ના નિયમો
Sukanya Samriddhi Yojana (SSY) ખાસ કરીને દીકરીના ભવિષ્ય માટે બચત કરવા માટે શરૂ કરવામાં આવેલી સરકારી યોજના છે.
દર વર્ષે ઓછામાં ઓછું ₹250 જમા કરવું જરૂરી છે.
જો કોઈ વર્ષમાં આ રકમ જમા ન થાય તો ખાતું Default Account તરીકે ગણવામાં આવે છે.
ફરીથી ખાતું ચાલુ કરવા માટે:
દરેક બાકી વર્ષ માટે ₹250 જમા કરવું પડશે
સાથે ₹50 દંડ ચૂકવવો પડશે.
NPS માં કેટલું રોકાણ જરૂરી?
NPS (National Pension System) નિવૃત્તિ માટેની એક મહત્વપૂર્ણ રોકાણ યોજના છે.
NPS Tier-I ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછું ₹1,000 જમા કરવું ફરજિયાત છે.
ટેક્સ બચતનો પણ લાભ
આ ત્રણેય યોજનાઓમાં રોકાણ કરવાથી ટેક્સ બચતનો લાભ પણ મળે છે.
જૂના ટેક્સ નિયમ મુજબ Section 80C હેઠળ ₹1.5 લાખ સુધી છૂટ મળી શકે છે.
NPS માં રોકાણ કરવાથી Section 80CCD(1B) હેઠળ વધારાના ₹50,000 સુધી ટેક્સ છૂટ મળે છે.
છેલ્લી તારીખ ભૂલશો નહીં
જો તમે આ નાણાકીય વર્ષમાં હજુ સુધી PPF, NPS અથવા Sukanya Samriddhi ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરી નથી, તો 31 માર્ચ 2026 પહેલાં જરૂરથી કરી લો