Top Stories
50 રૂપિયા બચાવવાની તાકાત હોય તો તમને મળશે 8 લાખનું ગેરેન્ટેડ રિટર્ન

50 રૂપિયા બચાવવાની તાકાત હોય તો તમને મળશે 8 લાખનું ગેરેન્ટેડ રિટર્ન

સરકાર સમય-સમય એવી બચત યોજનાઓ લાવતી રહે છે, જેનાથી સામાન્ય જનતાનું ભવિષ્ય આર્થિક રૂપથી મજબૂત બને છે. દેશની પુત્રીઓ માટે પણ ઘણા પ્રકારની યોજનાઓ છો, જેનાથી વ્યાજ દ્વારા સારી કમાણી થઈ શકે છે. આમાંથી જ એક છે, પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના, જે ખાસ કરીને પુત્રીઓ માટે સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

આ યોજનામાં નાની-નાની રકમ જમા કરીને માતા-પિતા તેમની પુત્રીના અભ્યાસ અને લગ્ન જેવા મોટા ખર્ચા માટે સારુ એવું ફંડ તૈયાર કરી શકે છે. સરકાર તરફથી મળનારું વધારે વ્યાજ દર અને ટેક્સ છૂટ તેને સૌથી ફેમસ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં સામેલ કરે છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધીની ઉંમરની પુત્રીના નામ પર ખાતું ખોલાવી શકાય છે. આમાં દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આમાં સરકાર 8.2 ટકાનું વ્યાજ આપે છે.

રોજ 50 રૂપિયા જમા કરવા પર મળશે લાખો- જો તમે તમારી પુત્રીના ભવિષ્ય માટે નાની-નાની બચતથી મોટુ ફંડ બનાવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ યોજનામાં જો તમે દર દિવસે 50 રૂપિયા બચાવો છો, તો દર મહિને લગભગ 1500 રૂપિયા અને વર્ષમાં 18,000 રૂપિયા જમા થશે. આ પ્રકારે 15 વર્ષ સુધી રોકાણ પર તમારી કૂલ જમા રકમ 2,70,000 રૂપિયા હશે

આ યોજના લોન્ગ ટર્મની છે અને સરકાર દ્વારા નક્કી વ્યાજ દરના આધાર પર રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકાય છે, જેનાથી પુત્રી અથવા લગ્ન જેવા મોટા ખર્ચા માટે મજબૂત ફંડ તૈયાર કરી શકાય છે.

જો તમારી પુત્રીના ઉંમર હાલ 10 વર્ષ છે અને તમે નિયમિત દર મહિને 1500 રૂપિયા જમા કરો છો, તો યોજનાની મેચ્યોરિટી સુધી તમને વ્યાજના રૂપમાં લગભગ 5,61,309 રૂપિયા મળી શકે છે. એટલે કે, તમારી 2,70,000 રૂપિયાની કૂલ રોકાણ રકમ વધીને લગભગ 8,31,309 રૂપિયા થઈ જશે. આ રકમ વર્તમાન વ્યાજ દરના આધઆર પર અંદાજિત છે અને સમય-સમય પર સરકાર દ્વારા વ્યાજ દરમાં ફેરફાર થવા પર મેચ્યોરિટી રકમમાં અંતર આવી શકે છે.

ઝીરો રિસ્કનો ફાયદો-

આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, આમાં શાનદાર રિટર્ન મળવાની સાથે જ તે પૂરા પૈસા સુરક્ષિત રાખે છે. પોસ્ટ ઓફિસની અન્ય સ્કીમના મુકાબલે આમાં વધારે વ્યાજ મળશે. આમાં કરવામાં આવેલા નાના-રોકાણ પર સરકાર પોતે સુરક્ષાની ગેરેન્ટી આપે છે. એટલે કે, ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ રહે છે.

જલ્દી ખાતું બંધ કરવા પર શું થશે?-

જો સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારક (પુત્રી)ની મોત થઈ જાય છે, તો ડેથ સર્ટિફિકેટ અને ફોર્મ-2 જમા કરીને ખાતું તરત જ બંધ કરી શકાય છે. ખાતામાં જમા રકમ અને મૃત્યુની તારીખ સુધીનું વ્યાજ વારસદારને આપી દેવામાં આવે છે. જો કે, મૃત્યુની તારીખથી લઈને ખાતું બંધ થવા સુધીના પીરિયડ માટે માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના બરાબર વ્યાજ મળે છે. આ ઉપરાંત, આ ખાતું સામાન્ય પરિસ્થિતિઓમાં સમય પહેલા બંધ કરી શકાતુ નથી, પરંતુ ખાતું ખુલવાના ઓછામાં ઓછા 5 વર્ષ બાદ કેટલીક વિશેષ કન્ડીશનમાં સમય પહેલા બંધ કરવાની પરવાનગી નથી