khissu

અંબાલાલ પટેલ: 17 થી 25 વરસાદનો નવો રાઉન્ડ જાણો શું આગાહી ?

દેશભરમાં વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્તવસ્ત કરી નાખ્યું છે. 12 જુલાઈ સુધી ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શખ્યતા છે, જોકે પછી તેમાં ઘટાડો થશે. ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. આવતીકાલથી ફરી મેઘરાજા વરસશે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી

12 જુલાઈથી ફરી ભારે વરસાદની સંભાવના
આવતીકાલથી ફરી મેઘરાજા એક્ટિવ થઈ જશે. આવતીકાલથી એટલે કે 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. તો 13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે કરી ત્રીજા રાઉન્ડની આગાહી
આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે. ગતરોજ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગામી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

ભારે વરસાદના કારણે નદીઓમાં આવશે પૂરઃ અંબાલાલ પટેલ
તેમણે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

વરાપ ક્યારે 
મુખ્ય રાઉન્ડ પૂર્ણ થશે પરંતુ વરસાદ સાવ બંધ નહિ થાય એટલે સંપૂર્ણ વરાપ નહિ થાય આંશિક વરાપ થશે. અને આ વરાપ 17 તારીખ સુધી રહેશે. હવે આંશિક વરાપ એટલે શું એમ સવાલ હશે. આંશિક વરાપ એટલે લોટરી જેવી વરાપ જેમાં છુટા છવાયા અમુક વિસ્તારમાં વરસાદ રોજે પડતો હોય. એ વિસ્તારમાં જો તમે છટકી જાવ તો તમારે સારી વરાપ પણ ઘા એ ચડો તો પાછી તમારા વરાપમાં વિઘ્ન ની જેમ થાય એટલે આંશિક વરાપ ગણાય. ટૂંકમાં સંપૂર્ણ વરસાદી વાતાવરણ ન રહે વરાપ જેવુ રહે પણ છુટા છવાયા વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી પણ ચાલુ રહે..