Top Stories
khissu

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટો ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા કરવુ પડશે આ કામ

દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, કાયદાકીય વાલી કે માતા-પિતા દ્વારા ન ખોલવામાં આવેલા ખાતાઓને ચાલુ રાખવા માટે હવે વાલીપણા ટ્રાન્સફર કરવા પડશે.

સ્કીમમાં નવા નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. નવા નિયમ અનુસાર, દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ હવે કાનૂની વાલી અથવા માતા-પિતાના નામ પર રહેશે. તમને જણાવી દઈએ કે પહેલા દાદા-દાદી દ્વારા પૌત્રીઓ માટે તેને ખોલવાની પરંપરા હતી, પરંતુ હવે આ શક્ય બનશે નહીં.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

નવા નિયમ અનુસાર, જો કોઈ પરિવારમાં બેથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવશે તો અન્ય ખાતા બંધ કરવામાં આવશે. તેનો હેતુ ખાતાઓના સંચાલનમાં કોઈપણ પ્રકારની અનિયમિતતાને રોકવાનો છે. ઉપરાંત, એ સુનિશ્ચિત કરવું પડશે કે જેઓ દીકરીઓના કાયદેસર વાલી છે તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે.

તમને જણાવી દઈએ કે બેટી, બેટી પઢાવો અભિયાન હેઠળ પીએમ નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે, જેથી કરીને તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે.