Top Stories

ખેડૂત ને મળશે રૂ.10000 ની સહાય :જાણો કોને ક્યારે અને કેવી રીતે મળશે?

નમસ્તે મિત્રો, 

  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ 21 સપ્ટેમ્બર ના રોજ વિધાન સભા ગૃહ સૌથી મોટી જાહેરાત હતી. જે જાહેરાત અંતર્ગત 3700 કરોડ રૂપિયા ખેડૂતો માટે ફાળવ્યા છે.
  • હાલ ખેડૂતો ને અતિવૃષ્ટિ થી નુકશાન થયું છે એમાં વળતર રૂપી સહાય આપવા માટે આ જાહેરાત કરી છે.
  • જેમાં ગુજરાત સરકારે કરેલા 19 મી September સુધી ના સર્વે મુજબ ગુજરાતnના 27 લાખ ખેડૂત ને મળશે લાભ.
  • ગુજરાત ના 20 જિલ્લા ના 123 તાલુકા ના ખેડૂતો ને સહાય માં લાભ આપવામાં આવશે.
  • આ સહાય માં લાભ લેવા માટે 1 ઓક્ટોબર થી ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • રાજ્યમાં 33% થી વધુ નુકશાન થયું છે તેવા ખેડૂતો ને રાજ્ય સરકાર સહાય આપશે. જેમાં પ્રતિ હેક્ટરે ખેડૂત ને 10000 રૂપિયા ની સહાય  ચૂકવાશે. અને નાના સીમાંત ખેડૂત ને ઓછામાં ઓછા 5000 ની સહાય ચૂકવવાં જણાવ્યું છે.
  • ઓનલાઇન અરજી કરવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને અરજી તમારી નજીક ના ઇ-ગ્રામ કેન્દ્ર પરથી કરી શકશો.
  • અરજી મંજુર થયા પછી સહાય સીધી ખેડૂતો ના બેંક acount માં જમા કરાવવામાં આવશે.

આ પહેલા પણ રાજ્ય સરકાર એક વખત જાહેરાત કરી ચૂકી છે કે પાક નુકસાની અંગેનો સર્વે રાજ્યમાં 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને સહાય આપવામાં આવશે એ પણ મોટી જાહેરાત જ હતી આ પણ જાહેરાત જ છે, હવે આ જાહેરાત નો લાભ ખેડૂતોને કેટલો મળે એ આપણે જોવાનું રહેશે કે પછી આ જાહેરાત પણ ઓન પેપર ઉપર જ રહી જાય અને ખેડૂતો ને લાભ ના મળે.