Top Stories
khissu

મરણોત્તર સહાય યોજના 2021: મળશે 5000 રૂપિયાની સહાય, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિક જીવિત હોય ત્યાં સુધી વિવિધ સહાય ચુકવવામાં આવે છે. તદુપરાંત મરણ બાદ પણ મરણોત્તર ક્રિયા માટે સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત રૂપિયા 5000 ની સહાય ચુકવવામાં આવે છે.

યોજનાનો હેતુ શું છે?
અનુસૂચિત જાતિના લોકોને આર્થિક રીતે નબળી પરિસ્થિતનાં કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

લાભ લેવા માટે રજૂ કરવામાં દસ્તાવેજ: 
- રહેઠાણ નો પુરાવો જેમાં લાઇટ બિલ, લાઇસન્સ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈપણ એક આપી શકાય
- મૃત્યુ નોંધનો દાખલો.
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક જે અરજદારનાં નામનો હોવો જોઇએ.
- આધાર કાર્ડ.
- આવકનો દાખલો.
- જાતિનો દાખલો.

યોજનાના નિયમો અને શરતો: 

  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિ ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.

ફોર્મ ક્યાં ભરવું?
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે તમે કોમ્પ્યુટર ઓપરેટર, VCE, CSC સેન્ટર મારફત કરી શકશો.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.