ઘણા રોકાણકારો પોસ્ટ ઓફિસની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરે છે. આ યોજનાઓ પર પોસ્ટ વિભાગ દ્વારા સારું વ્યાજ આપવામાં આવે છે.
આ સિવાય આ સ્કીમને રોકાણના દૃષ્ટિકોણથી પણ સુરક્ષિત માનવામાં આવે છે, એટલે કે રોકાણકારોએ પૈસા ગુમાવવા પડતાં નથી. અહીં અમે તમને આવી જ એક સ્કીમ વિશે જણાવીએ છીએ.
પોસ્ટ ઓફિસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ
ટપાલ વિભાગ દ્વારા રોકાણકારો માટે એક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જે માત્ર સારું વ્યાજ જ નથી આપતી પણ આવકવેરામાં પણ છૂટ આપે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC છે.
જો કોઈ રોકાણકાર પોસ્ટ ઑફિસ NSC સ્કીમ (પોસ્ટ ઑફિસ ફાઇવ યર સ્કીમ) માં રોકાણ કરે છે, તો તે વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરીને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ મેળવી શકે છે.
આ સ્કીમમાં રોકાણ કરવાથી તમારા પૈસા 119 મહિનામાં બમણા થઈ જશે. આ સ્કીમની ખાસિયત એ છે કે તમે તેમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને તેના પર ટેક્સ છૂટ પણ મેળવી શકો છો.
NSC શું છે?
એનએસસી એટલે કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એ એક પ્રકારનું ડિપોઝિટ સર્ટિફિકેટ છે, જે તમે તમારી સુવિધા અનુસાર અમુક રકમ એકસાથે જમા કરીને ખરીદી શકો છો. કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર ચૂકવવામાં આવતા વ્યાજમાં 70 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે થાપણદારોને આ ત્રિમાસિક ગાળામાં લગભગ 7.7 ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો છે.
કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી
પોસ્ટ ઓફિસ NSC યોજના હેઠળ રોકાણનો કુલ સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના હેઠળ, ખાતું ઓછામાં ઓછી એક હજાર રૂપિયાની રકમથી ખોલવામાં આવે છે, આ ખાતું દેશભરની પોસ્ટ ઓફિસની શાખાઓમાં ખોલી શકાય છે. આમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.